Tuesday, June 30, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

ખેડૂતવાસ મફતનગરમાં નજીવી બાબતે બે જૂથો વચ્ચે સશસ્ત્ર ધીંગાણુંઃ સામસામી ફરિયાદ નોંધાઈ

રાત્રિના સમયે ગાળો બોલવા બાબતે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં તલવાર, પાઇપ અને ધારિયા ઉડયા

dharmendravaghela by dharmendravaghela
2026-06-30 16:59:15
in ભાવનગર
Share on FacebookShare on Twitter

શહેરના મફતનગર વિસ્તારમાં આવેલા ખેડૂતવાસ, મનાભાઈના ચોકમાં ગઈકાલે તા. ૨૯ જૂનની રાત્રે ગાળો બોલવા જેવી નજીવી બાબતે બે પાડોશી જૂથો વચ્ચે સશસ્ત્ર મારામારી થતાં વિસ્તારમાં ભારે તંગદિલી ફેલાઈ ગઈ હતી. આ હિંસક ઘટનામાં બંને પક્ષે ગંભીર ઈજાઓ થતાં સામસામી ફરિયાદ નોંધાવવામાં આવી છે.
બનાવ અંગે પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ ખેડુતવાસ મ્યુનિસિપાલિટી ક્વાર્ટર્સ સામે મનાભાઈનો ચોક મફતનગર ખાતે રહેતા મહેશભાઈ બુધાભાઈ ગોહેલ ઉ.વ.૩૨ દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ, રાત્રે સાડા અગિયારેક વાગ્યે તેમના ઘર પાસે ગોપાલ ઉર્ફે ઢેચુ વાઘેલા અને તેના ભાઈઓ ગાળો બોલતા હતા. મહેશભાઈના પિતા બુધાભાઈએ તેમને ગાળો બોલવાની ના પાડતા, ઉશ્કેરાયેલા ગોપાલ, રોહિત, કાળો, જગદીશ, ચેતન, નિલેશ સહિતના શખ્સો એકસંપ થઈને તલવાર, લોખંડના પાઇપ, છરી અને ધારિયા જેવા ઘાતક હથિયારો સાથે ધસી આવ્યા હતા.અને હુમલો કર્યો હતો. આ હુમલામાં મહેશભાઈને ડોક અને વાંસાના ભાગે, જ્યારે તેમના પિતા બુધાભાઈ અને ભાઈ અલ્પેશને માથા અને અન્ય ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.
સામા પક્ષની વળતી ફરિયાદઃ તલવાર, ફરસો અને પથ્થરમારોઃજયારે સામા પક્ષે ગોપાલ ઉર્ફે ઢેચુ કિશોરભાઈ વાઘેલા ઉ.વ.૩૦એ વળતી ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યા મુજબ, તેઓ અને તેમના ભાઈઓ ચોકમાં ઊભા હતા ત્યારે મહેશભાઈ ગોહેલ, કલ્પેશ, કિશોરભાઈ અને કરણભાઈ ત્યાં આવ્યા હતા અને ‘અમારા ઘર પાસે કેમ રાડો પાડો છો’ તેમ કહી ગાળો આપી હતી. ગોપાલે તેના મિત્રોને બોલાવતા સામા પક્ષે તલવાર, લોખંડના ફરસા અને પથ્થરોથી હુમલો કર્યો હતો. જેમાં મહેશે ગોપાલને માથામાં તલવારના ઘા માર્યા હતા, જ્યારે કલ્પેશે લોખંડના ફરસાથી ગોપાલ અને તેના મિત્ર ચેતનને ઈજાઓ પહોંચાડી હતી. અન્ય આરોપીઓએ ઈંટો અને પથ્થરમારો કર્યો હતો.આ બનાવથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાયો હતો. આ ધીંગાણા અને સામસામા પથ્થરમારામાં બંને પક્ષે ગંભીર રીતે ઘવાયેલા લોકોને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ભાવનગરની સરકારી હોસ્પિટલ (સર ટી.) ખાતે ખસેડવામાં આવ્યા હતા. પોલીસે બંને પક્ષની ફરિયાદના આધારે બી.એન.એસ. ની કલમ ૧૧૮(૧), ૧૧૫(૨), ૧૨૫(ટ્ઠ), ૩૫૨, રાયોટિંગ (૧૮૯(૨), ૧૯૧(૨) વગેરે) તથા જી.પી.એક્ટ ૧૩૫ મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Previous Post

ભાવનગરમાં અશાંત ધારાના ભંગ મુદ્દે ભારે આક્રોશ: હિન્દુ સંગઠનો અને સ્થાનિકોની કલેક્ટર કચેરી સુધી વિશાળ રેલી

Next Post

બગદાણા ખાતે બાપાના ૫૦મી પુણ્યતિથિ મહોત્સવ અંતર્ગત અપાયો આખરી ઓપ

dharmendravaghela

dharmendravaghela

Related News

સ્ટેટ GST વિભાગના: ભાવનગર, અમરેલી અને બોટાદની ૯ પેઢીઓમાં તપાસનો ધમધમાટ
ભાવનગર

સ્ટેટ GST વિભાગના: ભાવનગર, અમરેલી અને બોટાદની ૯ પેઢીઓમાં તપાસનો ધમધમાટ

June 30, 2026
જ્ઞાનગુરુ વિદ્યાપીઠમાં ‘પ્રેરણાદાયી કલાક’ અંતર્ગત પર્યાવરણ સંરક્ષણ સત્ર યોજાયું ભાવનગર મહાનગરપાલિકાના સ્વચ્છ ભારત અભિયાનના મુખ્ય પ્રતિનિધિ ડા. તેજસ દોશીએ ૨,૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓને સ્વચ્છતા અને એકવાર વપરાતા પ્લાસ્ટિક મુક્તિ અંગે આપ્યું માર્ગદર્શન
ભાવનગર

જ્ઞાનગુરુ વિદ્યાપીઠમાં ‘પ્રેરણાદાયી કલાક’ અંતર્ગત પર્યાવરણ સંરક્ષણ સત્ર યોજાયું ભાવનગર મહાનગરપાલિકાના સ્વચ્છ ભારત અભિયાનના મુખ્ય પ્રતિનિધિ ડા. તેજસ દોશીએ ૨,૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓને સ્વચ્છતા અને એકવાર વપરાતા પ્લાસ્ટિક મુક્તિ અંગે આપ્યું માર્ગદર્શન

June 30, 2026
બગદાણા ખાતે બાપાના ૫૦મી પુણ્યતિથિ મહોત્સવ અંતર્ગત અપાયો આખરી ઓપ
Uncategorized

બગદાણા ખાતે બાપાના ૫૦મી પુણ્યતિથિ મહોત્સવ અંતર્ગત અપાયો આખરી ઓપ

June 30, 2026
Next Post
બગદાણા ખાતે બાપાના ૫૦મી પુણ્યતિથિ મહોત્સવ અંતર્ગત અપાયો આખરી ઓપ

બગદાણા ખાતે બાપાના ૫૦મી પુણ્યતિથિ મહોત્સવ અંતર્ગત અપાયો આખરી ઓપ

જ્ઞાનગુરુ વિદ્યાપીઠમાં ‘પ્રેરણાદાયી કલાક’ અંતર્ગત પર્યાવરણ સંરક્ષણ સત્ર યોજાયું ભાવનગર મહાનગરપાલિકાના સ્વચ્છ ભારત અભિયાનના મુખ્ય પ્રતિનિધિ ડા. તેજસ દોશીએ ૨,૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓને સ્વચ્છતા અને એકવાર વપરાતા પ્લાસ્ટિક મુક્તિ અંગે આપ્યું માર્ગદર્શન

જ્ઞાનગુરુ વિદ્યાપીઠમાં 'પ્રેરણાદાયી કલાક' અંતર્ગત પર્યાવરણ સંરક્ષણ સત્ર યોજાયું ભાવનગર મહાનગરપાલિકાના સ્વચ્છ ભારત અભિયાનના મુખ્ય પ્રતિનિધિ ડા. તેજસ દોશીએ ૨,૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓને સ્વચ્છતા અને એકવાર વપરાતા પ્લાસ્ટિક મુક્તિ અંગે આપ્યું માર્ગદર્શન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.