ભાવનગર જિલ્લાની બીજા નંબરની મોટી રથયાત્રા એવી સિહોરની રથયાત્રાને પ્રારંભ પૂર્વે મહંત બાલકદાસ બાપુ દ્વારા આરતી કર્યા બાદ પહિંદ વિધિ કરવામાં આવી હતી જેમાં વિવિધ સમાજના આગેવાનો, રાજકીય તેમજ સામાજિક આગેવાનો દ્વારા પ્રારંભ કરવાયો હતો “જય જય જગન્નાથ”, “હાથી, ઘોડા, પાલડી, ‘જય કનૈયા લાલ કી” નાં ભક્તોનાં નાદ વચ્ચે ભગવાન જગન્નાથજી, ભાઇ બળદેવજી અને બહેન સુભદ્રાજી સાથે નગરની ૮ કિ.મી.ની પરંપરાગત નગરચર્યાએ ઠાકરદ્વારા ખાતેનાં નીજ મંદિરેથી નિકળ્યાં હતાં. શહેરનાં ભાવિક ભક્તોમાં રથયાત્રા નીકળવાનો અનોખો ઉમંગ જોવા મળ્યો હતો. મુસ્લિમ સમાજ દ્વારા ભગવાનનું સ્વાગત કર્યું હતું તથા મહંત બાલકદાસ બાપુને શાલ ઓઢાડી સન્માન કર્યું હતું
ભગવાન જગન્નાથની રથયાત્રા રંગેચંગે નીકળી હતી અને ભક્તિસાગર માં સિહોર વાસીઓ તરબોળ થયા હતા જેનો સિહોરવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો આખા સિહોરમાં સુશોભન અને શણગાર કરવામાં આવ્યો હતો.જગન્નાથજી ભગવાનના મંદિર ઠાકરદ્વારાથી રથની પૂજા, અર્ચન તથા ભગવાનની આરતી કરી રથયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ દરમ્યાન મોટી સંખ્યામાં ભાવિકો એકત્રિત થયાં હતાં અને દર્શનનો લાભ લીધો હતો.તથા આકર્ષક ફ્લોટ્સ, શરણાઈની ગુંજ સાથે યાત્રા નીકળી હતી ત્યારે સિહોર બજરંગદળ દ્વારા ત્રિશુળ ધારી કાર્યકર્તાઓ માથે સાફો હાથમાં ધજા અને કમરે ત્રિશુળ બેલ્ટ ધારણ કરી જય શ્રીરામના નાદ સાથે કેસરિયો માહોલ ઉભો કર્યો હતો


આ રથયાત્રા સવારે પ્રસ્થાન થઈ ખારાકુવા, જૂની શાકમાર્કેટ, કંસારા બજાર, ટાણા ચોકડી, વડલાચોડ, સ્ટેશન રોડ, ખાડીયા, રાજકોટ રોડ, સિંધી કેમ્પ, મેઈન બજાર થઈ નિજ મંદિરે પહોંચી હતી અષાઢી બીજનાં રોજ સિહોર ખાતે ભગવાન નગરચર્યાએ નીકળ્યા હોય ત્યારે તેને વધાવવા તથા આવકારવા અનેરા થનગાટ સાથે વરસતા મેઘ માં પણ ભક્તોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો આ યાત્રા બપોરે સ્ટેશનરોડ ખાતે આવેલ પાબુજી મહારાજના મંદિર ખાતે વિરામ લઈ બપોર બાદ નિર્ધારિત રૂટ પર આગળ વધી હતી વિવિધ સંસ્થાઓ દ્વારા રથયાત્રા રૂટ પર પ્રસાદ, શરબત તથા ઠંડા પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી રથયાત્રાનાં સમગ્ર આયોજન દરમ્યાન સિહોર પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત કરવામાં આવ્યો હતો. સિહોર પી.આઈ ની આગેવાનીમાં પોલીસ જવાનો દ્વારા ચુસ્ત અને લોખંડી સુરક્ષાબંધ બંદોબસ્ત પૂરો પાડવામાં આવ્યો હતો. રથયાત્રામાં ચોક્કસ થીમ આધારિત ફ્લોટસનાં ટ્રેક્ટર રથયાત્રામાં જોડવામાં આવ્યાં છે. રથયાત્રા સાથે આરોગ્ય તથા ફાયર બ્રિગેડનો સ્ટાફ, પીજીવીસીએલ, જિલ્લા પોલીસ મેનેજમેન્ટની ટીમ, નગરપાલિકા ટિમ રથયાત્રામાં હાઈટેક સાધનો-ઉપકરણોનો ઉપયોગ કરીને સુરક્ષા પૂરી પાડવામાં આવી હતી.આ રથયાત્રાને સફળ બનાવવા માટે ભરતભાઈ મલુકાએ દરેકને અભિનંદન આપ્યાં હતાં






