બોટાદ શહેરમાં આગામી રવિવાર, 19 જુલાઈ, 2026 ના રોજ વીજ પુરવઠો બંધ રહેશે. સવારે 7 કલાકથી બપોરના 4 કલાક સુધી કુલ 9 કલાક માટે વીજળી ગુલ રહેશે. આ વીજકાપ બોટાદ સિટી અને પાવરહાઉસ અર્બન ફીડરમાં ખુલ્લા વીજતાર બદલીને MVCC કેબલ નાખવાની કામગીરીને કારણે લેવામાં આવ્યો છે.
આ કામગીરીના કારણે નાગલપર દરવાજા, જ્યોતિગ્રામ સર્કલ, શાકમાર્કેટ, ટાવર રોડ વિસ્તાર, પોલીસ સ્ટેશન, સરકારી હાઈસ્કૂલ, SBI બેન્ક, વોરવાડ, લીમડા ચોક, જુનો સિપાઈ વાળો, બારોટ શેરી, મંગળપરા, આનંદધામ ગેટ, હરી દર્શન, કુબેરનગર, ઘનશ્યામ નગર, કષ્ટભંજન સોસાયટી, માધવ પાર્ક, માધવ દર્શન, રાધાકૃષ્ણ, રઘુનંદન, અવધ પાર્ક, શિવનગર, ઢાકણીયા રોડ, BAPS સ્વામિનારાયણ મંદિર, ટેલિફોન એક્સચેન્જ, ભગવાન પરા, સોરઠીયા વાડી અને કિરીટભાઈની વાડી જેવા વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે. વીજ કંપની દ્વારા જણાવાયું છે કે કામગીરી પૂર્ણ થયા બાદ કોઈપણ જાતની પૂર્વ જાણ કર્યા વગર વીજ પુરવઠો ફરીથી ચાલુ કરી દેવામાં આવશે.




