Friday, July 24, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

કેન્દ્ર સરકારને ઘેરવા માટે વિપક્ષી દળોના નેતાઓની રાહુલ ગાંધીના નિવાસે બેઠક યોજાઈ

સંસદ સત્રમાં પેપર લીક સહિતના મુદ્દાઓ અંગે વિપક્ષની નીતિ અને પગલાઓ અંગે કરવામાં આવી ચર્ચા

dharmendravaghela by dharmendravaghela
2026-07-24 11:45:31
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

નીટ પેપર લીક મામલે જંતરમંતર પર થયેલા લાઠીચાર્જના વિરોધમાં કોંગ્રેસે કેન્દ્ર સરકારની સામે મોરચો માંડ્યો હતો. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ અન્ય કોંગ્રેસના નેતાઓ સાથે મળીને હાથમાં બંધારણની પ્રતિકૃતિને સાથે રાખી વિરોધ પ્રદર્શન કર્યું છે. ગાંધી સ્મૃતિ પહોંચીને કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું હતું. એમની સાથે પ્રિયંકા ગાંધી પણ હાજર રહ્યા હતા. ગાંધી સ્મૃતિ પહોંચીને રાહુલ ગાંધીએ કહ્યું,આ તે જગ્યા છે જ્યાં આપણા નેતા મહાત્મા ગાંધીની હત્યા કરવામાં આવી હતી. આજે મોદી સરકાર ભારતમાં લોકશાહીની હત્યા કરી રહી છે. વિદ્યાર્થીઓ પર અત્યાચાર થઈ રહ્યા છે અને મારપીટ કરવામાં આવી રહી છે. વિપક્ષ આ સ્વીકારશે નહીં.અમે વિદ્યાર્થીઓ સાથે ઊભા છીએ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનને હટાવવા જોઈએ. રાષ્ટ્રની માફી માંગવી જોઈએ.
કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા પ્રિયંકા ગાંધીએ કહ્યું,આપણે આપણા જ દેશમાં લોકશાહીનો નાશ કરી રહ્યા છીએ. બાળકોને માર મારવામાં આવી રહ્યો છે. વિદ્યાર્થીઓ ફક્ત ન્યાય માંગી રહ્યા છે છતાં તેમની સાથે દુર્વ્યવહાર કરવામાં આવી રહ્યો છે. પોતાના અધિકારોની માંગ કરી રહેલા વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કરવો સંપૂર્ણપણે ખોટું છે. આ પહેલા રાહુલ ગાંધીના નિવાસસ્થાને ભારત બ્લોકના નેતાઓની એક મહત્વપૂર્ણ વ્યૂહાત્મક બેઠક મળી હતી. આ બેઠકમાં પેપર લીક વિદ્યાર્થીઓ પર કથિત લાઠીચાર્જ અને સંસદની અંદર અને બહાર સરકારને ઘેરવાની વ્યૂહરચના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. રાહુલ ગાંધી અને અન્ય વિપક્ષી નેતાઓએ ગાંધી સ્મૃતિની મુલાકાત લીધી.
આ વિષય પર સૂત્રોના જણાવ્યા અનુસાર,સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ એક વરિષ્ઠ નેતાના અવસાનને કારણે બેઠકમાં હાજરી આપી શક્યા ન હતા.રાહુલ ગાંધીના નિવાસસ્થાન બાહર સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી હતી.વધારાના પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યા હતા. લોકોની અવરજવર પર નજર રાખવામાં આવી હતી. રાહુલ ગાંધીના નિવાસસ્થાન 5, સુનહેરી બાગ – ખાતે વિપક્ષી નેતાઓને ગાંધી સ્મૃતિ સુધી લઈ જવા માટે ત્રણ બસોની વ્યવસ્થા કરવામાં આવી હતી. દિલ્હી પોલીસ અને રેપિડ એક્શન ફોર્સને રાજઘાટ અને આસપાસના વિસ્તારોમાં પણ તૈનાત કરવામાં આવ્યા હતા.
પેપર લીક મુદ્દે વિપક્ષ સતત કેન્દ્ર સરકાર પર નિશાન સાધી રહ્યું છે. પેપર લીક વિવાદ, વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન અને ચાલુ સંસદીય ગતિરોધ વચ્ચે આ વિપક્ષી વિરોધને રાજકીય રીતે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

 

Tags: india alliance meeting rahul gandhi
Previous Post

નીટ પેપર લીક અને પરીક્ષા વિવાદ વચ્ચે કેન્દ્રના ઉચ્ચ શિક્ષણ સચિવ વિનીત જોષીની તાત્કાલિક અસરથી બદલી

Next Post

ભારતમાં દર એક કલાકે માર્ગ અકસ્માતમાં ૨૧ લોકોના મોત

dharmendravaghela

dharmendravaghela

Related News

સોનમ વાંગચૂકે કેન્દ્રીય મંત્રી નડ્ડા અને જીતેન્દ્રસિંહની હાજરીમાં ઉપવાસ છોડ્યા
તાજા સમાચાર

સોનમ વાંગચૂકે કેન્દ્રીય મંત્રી નડ્ડા અને જીતેન્દ્રસિંહની હાજરીમાં ઉપવાસ છોડ્યા

July 24, 2026
ભારતીય જનતા પાર્ટી દ્વારા ‘સેવા હી સંગઠન‘ના ભાવ સાથે 24×7 હેલ્પલાઇન સેવા/ કંટ્રોલ રૂમ શરૂ કરાયો
તાજા સમાચાર

ભારતીય જનતા પાર્ટી દ્વારા ‘સેવા હી સંગઠન‘ના ભાવ સાથે 24×7 હેલ્પલાઇન સેવા/ કંટ્રોલ રૂમ શરૂ કરાયો

July 24, 2026
આણંદના વાસદ બોરસદ હાઇવે પર ટ્રક અને પિકઅપ વચ્ચે અકસ્માત બાદ આગ
તાજા સમાચાર

ભારતમાં દર એક કલાકે માર્ગ અકસ્માતમાં ૨૧ લોકોના મોત

July 24, 2026
Next Post
આણંદના વાસદ બોરસદ હાઇવે પર ટ્રક અને પિકઅપ વચ્ચે અકસ્માત બાદ આગ

ભારતમાં દર એક કલાકે માર્ગ અકસ્માતમાં ૨૧ લોકોના મોત

ભારતીય જનતા પાર્ટી દ્વારા ‘સેવા હી સંગઠન‘ના ભાવ સાથે 24×7 હેલ્પલાઇન સેવા/ કંટ્રોલ રૂમ શરૂ કરાયો

ભારતીય જનતા પાર્ટી દ્વારા ‘સેવા હી સંગઠન‘ના ભાવ સાથે 24×7 હેલ્પલાઇન સેવા/ કંટ્રોલ રૂમ શરૂ કરાયો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.