Sunday, August 30, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

બિલાસપુર એરપોર્ટ પર લેન્ડિંગ વખતે વિમાનનું ટાયર ફાટયું

૩૭ પ્રવાસીઓ અને ૪ ક્રૂ-સભ્યો સહિત ૪૧ જણના શ્વાસ જાણે થંભી ગયા !

dharmendravaghela by dharmendravaghela
2026-08-29 12:10:40
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

છત્તીસગઢના બિલાસપુર એરપોર્ટ ખાતે શુક્રવારે એક મોટી દુર્ઘટના ટળી ગઈ. દિલ્હીથી બિલાસપુર આવેલી એલાયન્સ એરના વિમાનના લેન્ડિંગ દરમિયાન ટાયર ફાટી ગયું. વિમાનમાં ૩૭ પ્રવાસીઓ તથા કેબિન ક્રુ ના ચાર સભ્યો બેઠા હતા. ટાયર ફાટયા પછી તમામ ૪૧ જણને સુરક્ષિતપણે વિમાનમાંથી બહાર ઉતારી લેવાયા.
શુક્રવારે સવારે ૧૧ના સુમારે એલાયન્સ એરની ફ્લાઈટ ૯ આઈ ૬૧૩ દિલ્હીથી બિલાસપુર પહોંચતા જ લેન્ડિંગ વખતે વિમાનનું ડાબી તરફનું ટાયર પંકચર થઈ ગયું એ પછી એરપોર્ટ ખાતે તુર્ત જ જરૂરી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી. આ બનાવ પછી વિમાનમાં બેટેલા પ્રવાસીઓ અને ક્રૂ ના સભ્યોને રનવે થઈને સુરક્ષિતપણે બહાર કાઢવામાં આવ્યા. બધાને એરપોર્ટના ટર્મિનલ ભવનમાં લઈ જવાયા. ટાયર ખરાબ હોવાથી વિમાનનો આગળનો પ્રવાસ રદ કરી દેવાયો. આ વિમાન બિલાસપુરથી આગળ જવાનું હતું.
બનાવના પગલે વિમાનની ટેકનિકલ તપાસ અને આવશ્યક પ્રક્રિયા કરાઈ રહી છે. એરલાઈને પ્રવાસીઓની સુરક્ષાને પ્રાથમિકતા આપી છે. બધા પ્રવાસીઓ અને પાઈલોટ – જૂથના સભ્યોને સુરક્ષિતપણે ટર્મિનલ સુધી પહોંચતા કરાયા. દુર્ઘટનામાં કોઈને ઈજા થઈ નથી.લેન્ડિંગ વખતે વિમાનનું ટાયર કેવી રીતે ફાટયું. એની વિસ્તૃત વિગતો હજી જાણવા મળી નથી. એરલાઈન અધિકારીઓ એ મુદ્દે તપાસ કરી રહ્યા છે. વિમાનમાં તકનીકી ખરાબી હતી કે લેન્ડિંગ વખતે બીજા કોઈ કારણસર ટાયર પંકચર થયું, એ તપાસ પછી જ સ્પષ્ટ થશે. વિમાનમાં ઊભી થયેલી તકનીકી સમસ્યાની અસર બિલાસપુરથી પ્રયાગરાજ જનારા ઉડ્ડયન પર પણ પડી. તકનીકી કારણોના લીધે પ્રયાગરાજ જનારી ફ્લાઈટને રદ કરી દેવાઈ, જેના લીધે પ્રવાસીઓ પરેશાન થયા. એમને એ વિમાન – પ્રવાસ સદ થયો હોવાનું જણાવી દેવાયું છે.

Tags: bilaspurplane tyre burst
Previous Post

નેપાળમાં 626ના મોત, 2500 ગુમ

Next Post

બાળકોના ભોજનમાં કર્યો ભ્રષ્ટાચાર, મિડ-ડે મીલ વગર 14 લાખનું બિલ

dharmendravaghela

dharmendravaghela

Related News

બે નિષ્ફળતા બાદ ISROના વ્હીકલનું કમબેક!
તાજા સમાચાર

બે નિષ્ફળતા બાદ ISROના વ્હીકલનું કમબેક!

August 29, 2026
ન્યૂયોર્કમાં ઈસ્કોન પહોંચેલા RSS પ્રમુખ મોહન ભાગવતે પૂજા કરી
આંતરરાષ્ટ્રીય

ન્યૂયોર્કમાં ઈસ્કોન પહોંચેલા RSS પ્રમુખ મોહન ભાગવતે પૂજા કરી

August 29, 2026
વેનેઝુએલાના 65 બિલિયન બેરલ ઓઈલ પર અમેરિકાનો કબજો
આંતરરાષ્ટ્રીય

વેનેઝુએલાના 65 બિલિયન બેરલ ઓઈલ પર અમેરિકાનો કબજો

August 29, 2026
Next Post
બાળકોના ભોજનમાં કર્યો ભ્રષ્ટાચાર, મિડ-ડે મીલ વગર 14 લાખનું બિલ

બાળકોના ભોજનમાં કર્યો ભ્રષ્ટાચાર, મિડ-ડે મીલ વગર 14 લાખનું બિલ

LoC પર ઘૂષણખોરીની કોશિશ, સેનાનો ગોળીબાર

LoC પર ઘૂષણખોરીની કોશિશ, સેનાનો ગોળીબાર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.