ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન આગામી સપ્તાહે ભાવનગર ખાતે આવી રહ્યા છે, તે કાર્યક્રમ વિવિધતા સભર ગુણાત્મક બનાવવા આયોજન સંદર્ભે સોમવારે ભાવનગર ખાતે ભાજપ દ્વારા યોજાયેલી બેઠકમાં પ્રદેશ ભાજપ મહામંત્રી અને સાંસદ વિનોદભાઈ ચાવડા અધ્યક્ષ સ્થાને રહ્યા હતા, જ્યારે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાની ખાસ ઉપસ્થિતિ રહી હતી.
ભાવનગર જિલ્લા ભાજપ અધ્યક્ષ મૂકેશભાઈ લંગાળિયાના સંકલન અને શહેર ભાજપ અધ્યક્ષ રાજીવ પંડ્યાના આયોજન સાથે મળેલી આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગામી તા.૨૯ ગુરુવારના ભાવનગર ખાતેના કાર્યક્રમ માટે તૈયારી અને આયોજન ચર્ચા થઈ હતી. સાંસદ વિનોદભાઇ ચાવડા, મંત્રી માંડવીયા, શિક્ષણમંત્રી વાઘાણી, સાંસદ ભારતીબેન, ધારાસભ્ય વિભાવરીબેન વિગેરે સુચનો સાથે પોતાની વાત મુકી હતી.
આ બેઠકમાં જિલ્લા પ્રભારી મંત્રી કિરીટસિંહ રાણા, મંત્રી રાઘવજી મકવાણા, સાંસદ નારણભાઈ કાછડિયા, ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ મહેન્દ્રસિંહ સરવૈયા તથા મંત્રી રઘુભાઈ આહીર, ધારાસભ્યો આત્મારામ પરમાર, પરશોત્તમભાઈ સોલંકી, કેશુભાઈ નાકરાણી તથા ભિખાભાઈ બારૈયા, જિલ્લા તથા મહાનગરના પ્રભારીઓ, જિલ્લા પંચાયત પ્રમુખ ભરતસિંહ ગોહિલ અને મેયર કિર્તિબાળા દાણીધારિયાની ઉપસ્થિતિ સંકલન સાથે આ બેઠકમાં હોદ્દેદારો કાર્યકર્તાઓએ ભાગ લીધો હતો.