Monday, January 12, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

EWS કોટા પર ફક્ત સામાન્ય વર્ગનો અધિકાર -કેન્દ્ર સરકાર

SC/ST અને OBCને મળે છે અઢળક લાભ: આર્થિક રીતે નબળા વર્ગ માટે 10 ટકા અનામતના મામલામાં સરકારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું

aaspassdaily by aaspassdaily
2022-09-21 12:13:29
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

આર્થિક રીતે નબળા વર્ગ માટે 10 ટકા અનામતના મામલામાં સરકારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું છે કે, EWS કોટા પર સામાન્ય વર્ગનો જ અધિકાર છે, કારણ કે એસસી-એસટી લોકો પહેલાથી જ અનામતના ઢગલાબંધ ફાયદા ઉઠાવી રહ્યા છે. મુખ્ય ન્યાયાધીશ યૂયૂ લલિત, જસ્ટિસ દિનેશ માહેશ્વરી, જસ્ટિસ એસ રવીન્દ્ર ભટ, જસ્ટિસ બેલા એમ ત્રિવેદી અને જસ્ટિસ જેબી પારડીવાલાની સંવિધાન પીઠ સમક્ષ અટોર્ની જનરલ કેકે વેણુગોપાલે મંગળવારે કહ્યું હતું કે, પછાત જાતિઓ, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકો પહેલાથી અનામતના ફાયદા લઈ રહ્યા છે. સામાન્ય વર્ગના ગરીબ લોકોને આ કાયદા અંતર્ગત લાભ મળશે, જે ક્રાંતિકારી સાબિત થશે.
વેણુગોપાલે કહ્યુ કે, આ કાયદો આર્ટિકલ 15 (6) અને 16 (6) મુજબ જ છે. આ પછાત અને વંચિતોને એડમિશન અને નોકરીમાં અનામત આપે છે અને 50 ટકાની મર્યાદાને પાર કરતો નથી. તેમણે કહ્યું કે, સંવિધાનમાં એસસી અને એસટી માટે અનામત અલગથી અપાયેલુ છે. તે મુજબ, સંસદમાં, પંચાયતમાં અને સ્થાનિક નિગમોમાં તથા પ્રમોશનમાં પણ તેમને અનામત આપવામાં આવે છે. જો તેમના પછાતપણાને ધ્યાનમાં રાખીને દરેક પ્રકારનો ફાયદો તેમને આપવામા આવે તો, EWS કોટા મેળવવા માટે તે તમામ ફાયદો છોડવા માટે તૈયાર થશે.
જાન્યુઆરી 2019માં 103મું સંવિધાન સંશોધન અંતર્ગત EWS કોટા લાગૂ કર્યો હતો. હવે આ કાયદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર આપવામાં આવ્યો છે. પાંચ જજોની બેન્ચે આ મામલે સુનાવણી કરી રહી છે. અરજીમાં કહેવાયુ છે કે, એસસી, એસટી અને ઓબીસીમાં ગરીબ લોકો છે, તો તેમને આ અનામત ફક્ત સામાન્ય વર્ગના લોકોને શા માટે આપવામા આવે છે. તેનાથી 50 ટકાના અનામતના નિયમનું ઉલ્લંઘન થાય છે. પહેલાથી જ ઓબીસીને 27 ટકા, એસટીને 15 ટકા અને એસસી માટે 7.5 ટકા કોટા નક્કી કરેલા છે. ત્યારે આવા સમયે 10 ટકા EWS કોટા 50 ટકા નિયમ વિરુદ્ધ છે.

Tags: indiasuprim courtWS Quota
Previous Post

ST કર્મચારીઓની જીત, આંદોલન સમેટાયું

Next Post

બાંહેધરી મળતા માજી સૈનિકોનું આંદોલન સમેટાયું

aaspassdaily

aaspassdaily

Related News

પીએમ મોદી અને જર્મન ચાન્સેલર વચ્ચેની બેઠકમાં મહત્વના મુદ્દાઓ પર ચર્ચા
તાજા સમાચાર

પીએમ મોદી અને જર્મન ચાન્સેલર વચ્ચેની બેઠકમાં મહત્વના મુદ્દાઓ પર ચર્ચા

January 12, 2026
અમદાવાદમાં પીએમના હસ્તે પતંગ મહોત્સવનો પ્રારંભ
તાજા સમાચાર

અમદાવાદમાં પીએમના હસ્તે પતંગ મહોત્સવનો પ્રારંભ

January 12, 2026
વેનેઝુએલાની સબસિડીના સહારે ક્યુબાની અર્થવ્યવસ્થા ચલાવવાનો યુગ હવે સમાપ્ત : ટ્રમ્પ
તાજા સમાચાર

વેનેઝુએલાની સબસિડીના સહારે ક્યુબાની અર્થવ્યવસ્થા ચલાવવાનો યુગ હવે સમાપ્ત : ટ્રમ્પ

January 12, 2026
Next Post
બાંહેધરી મળતા માજી સૈનિકોનું આંદોલન સમેટાયું

બાંહેધરી મળતા માજી સૈનિકોનું આંદોલન સમેટાયું

ખ્યાતનામ કોમેડિયન રાજૂ શ્રીવાસ્તવનું નિધન

ખ્યાતનામ કોમેડિયન રાજૂ શ્રીવાસ્તવનું નિધન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.