Monday, September 8, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

કોર્પોરેશનના અધિકારી સામે સાપરાધ મનુષ્યવધ હેઠળ ગુનો

પશુની અડફેટે યુવકના મોતનો મામલો: પહેલીવાર AMCના અધિકારીઓ સામે પોલીસ ફરિયાદ

aaspassdaily by aaspassdaily
2022-10-04 11:01:03
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

અમદાવાદમાં રસ્તે રખડતા ઢોરના કેસમાં આખરે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓ સામે ફરિયાદ નોંધાઈ છે. રખડતા ઢોરને અંકુશમાં રાખનારા અધિકારીઓ સામે આ ફરિયાદ નોંધાઈ છે અને સાથે પશુના માલિક સામે પણ ફરિયાદ નોંધાતા પોલીસ તપાસમાં લાગી છે. પોલીસે આ મામલે કોર્પોરેશનના અધિકારી સામે સાપરાધ મનુષ્યવધ એટલે કે કલમ 304 હેઠળ ગુનો નોંધ્યો છે. ઉલ્લેખનીય છે કે, નરોડાના ભાવિન પટેલને રસ્તે રખડતા ઢોરે અડફેટે લેતા મોત થયું હતું. રખડતા ઢોર ના કેસમાં પહેલીવાર AMCના અધિકારીઓ સામે ગુનો નોંધાતા દોડધામ મચી ગઇ છે. ત્યારે કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહીની પરિવારજનોની માંગ છે.
નવા નરોડામાં રહેતા પ્રશાંતભાઈ પટેલનો 39 વર્ષીય ભાઈ ભાવિન ગત 29મીએ બાઇક લઈને જતો હતો. આ દરમિયાન તેનો અકસ્માત થતા તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ત્યાં પહોંચતા જ અન્ય પરિવારજનોને તેઓએ અકસ્માત બાબતે પૂછતાં જાણવા મળ્યું કે, ભાવિનભાઈ મનોહરવિલા પાસેના એક પાર્ટી પ્લોટ પાસેથી જતા હતા. ત્યારે રસ્તામાં પશુ આવી જતા તેઓનો અકસ્માત થયો હતો.

ભાવિનને ગંભીર ઇજા થવાના કારણે બાદમાં તેઓને બાપુનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ભાવિનને મલ્ટીપલ હેમરેજ હોવાથી ઓપરેશન કર્યું હતું. ડોક્ટરે બ્રેન ડેડ થવાની તૈયારી છે તેવું કહેતા જ પરિવારજનો ભાવિનને સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં તેઓનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. પરિવારજનોનો એકતરફ આક્રંદ બીજી તરફ દુઃખનો માહોલ હતો. ત્યાં ઘટના સ્થળે તપાસ કરતા ભાવિનને કાળા રંગની ગાયે અડફેટે લીધા હોવાનું સીસીટીવી ફુટેજમાં જણાયું હતું. જેથી પરિવારે ફરી કોઈને ભાવિનના પરિવારજનો એ સહન કરેલું દુઃખ સહન ન કરવું પડે તે માટે નફ્ફટ તંત્રના અધિકારીઓની બેદરકારી બદલ ફરિયાદ નોંધાવી છે.
કૃષ્ણ નગર પોલીસે આ મામલે રખડતા ઢોરને અંકુશમાં લેવાની કામગીરીમાં નિષફળ ગયેલા અને પશુના માલિક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે આ નફ્ફટ અને ભ્રષ્ટ એ.એમ.સી ના અધિકારીઓ ની ક્યારે ધરપકડ થાય છે એ જોવાનું રહેશે.

Tags: Ahmedabadfir against AMC officer
Previous Post

મહાઅષ્ટમીના દિવસે 35 હજાર દીવાઓની કરાઇ આરતી: અર્ધનારેશ્વરની પ્રતિકૃતિ બનાવવામાં આવી

Next Post

દુબઈમાં ભવ્ય મંદિરનું થશે ઉદ્ઘાટન

aaspassdaily

aaspassdaily

Related News

પંજાબમાં ભયાનક પૂરની સ્થિતિ વચ્ચે ડેમ તૂટવાની ભીતિ : ૧૫ ગામ ઉપર સંકટ
તાજા સમાચાર

પંજાબમાં ભયાનક પૂરની સ્થિતિ વચ્ચે ડેમ તૂટવાની ભીતિ : ૧૫ ગામ ઉપર સંકટ

September 6, 2025
અગલે બરસ તું જલ્દી આના
તાજા સમાચાર

અગલે બરસ તું જલ્દી આના

September 6, 2025
પ્રધાનમંત્રી મોદી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠકમાં ભાગ લેવા અમેરિકા નહીં જાય
તાજા સમાચાર

પ્રધાનમંત્રી મોદી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠકમાં ભાગ લેવા અમેરિકા નહીં જાય

September 6, 2025
Next Post
દુબઈમાં ભવ્ય મંદિરનું થશે ઉદ્ઘાટન

દુબઈમાં ભવ્ય મંદિરનું થશે ઉદ્ઘાટન

ક્રૂડ તેલના ભાવ ફરી ‘સળગશે’

ક્રૂડ તેલના ભાવ ફરી ‘સળગશે’

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.