ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ ઇલાબેન ભટ્ટ કે જેઓનું રાજીનામું આખરે સ્વીકારાયું છે. ઉલ્લેખનીય છે કે, ઇલાબેન ભટ્ટે અગાઉ બીમારીના કારણે રાજીનામું આપ્યું હતું. જો કે અગાઉ આપેલા રાજીનામાંને સ્વીકારાયું ન હતું. પરંતુ અંતે ઇલાબેન ભટ્ટનું રાજીનામું સ્વીકારી લેવાયું છે. ત્યારે હવે ગૂજરાત વિદ્યાપીઠના નવા કુલપતિ તરીકે આચાર્ય દેવવ્રતની વરણીની શક્યતા રહેલી છે. એટલે કે ગૂજરાત વિદ્યાપીઠના નવા કુલપતિ તરીકે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની પસંદગી કરાશે.
ગૂજરાત વિદ્યાપીઠના બંધારણ મુજબ કુલનાયકની ઉપર કુલપતિ હોય છે પરંતુ કુલપતિ એ રાજ્યપાલ નથી હોતા. પરંતુ વિદ્યાપીઠના જ ટ્રસ્ટી મંડળ દ્વારા સામાજીક ક્ષેત્રના અગ્રણી અને ગાંધીવાદી હોય તેવા વ્યક્તિને કુલપતિ બનાવવામાં આવે છે. વિદ્યાપીઠના 100 વર્ષના ઈતિહાસમાં અત્યાર સુધી કુલપતિ તરીકે ગાંધીવાદી જ આવ્યા છે ત્યારે હાલના કુલપતિ એવા ડૉ. ઈલાબહેન ભટ્ટ કે જેઓ પણ ગાંધીવાદી છે. તેઓએ થોડા સમય પહેલા રાજીનામું આપી દીધું હતું. પરંતુ તેને સ્વીકારવામા ન હતું આવ્યું. મળતી માહિતી મુજબ તેઓનું રાજીનામું હવે સ્વીકારી લેવાતા હવે ગૂજરાત વિદ્યાપીઠના નવા કુલપતિ તરીકે આચાર્ય દેવવ્રતની વરણી થઇ શકે છે.