ઉત્તર પ્રદેશ બરેલીના બહેડીમાં રામલીલા દરમિયાન બુરખાધારી સંદિગ્ધ યુવકને પકડી પાડ્યા બાદ માહોલ ગરમાયેલો છે. યુવક બહેડીમાં 164 વર્ષથી ચાલી આવતા શ્રી રામ લીલા દરમિયાન સંદિગ્ધ હાલતમાં ફરતો ઝડપાયો હતો. મેળમાં ચાલી રહેલી તમામ ગતિવિધિઓ પર નજર રાખી રહ્યો હતો. લોકોએ જ્યારે શંકાના આધાર પર તેની સાથે પૂછપરછ કરી તો, તે કોઈ જવાબ આપવાની જગ્યાએ ભાગવા લાગ્યો હતો. તે જેવી રીતે ભાગ્યો તેનાથી લોકોને શંકા વધુ ઉપજી. લોકોએ તેને ચારેતરફથી ઘેરી લીધો. ત્યાર બાદ તેને બુરખો હટાવા કહ્યું. જેવો બુરખો હટાવ્યો, તો અંદરથી યુવક નિકળ્યો.
મેળામાં આવેલા લોકોને તેને બરાબરનો માર્યો. આ ઘટનાની જાણ થતાં પોલીસ આ યુવકને ઉઠાવી કસ્ટડીમાં લઈ ગઈ. લોકોને ત્યાંથી દૂર કર્યા. મેળાની જ ધર્મશાળામાં તેને બંધ કરી દેવામાં આવ્યો. પૂછપરછ શરુ કરી તો તેને પોતાનું નામ બતાવાની ના પાડી. પોલીસે વારંવાર પુછ્યું પણ તે એક જ વાત લઈને બેઠો હતો કે, અલ્લાહની મરજીથી આવ્યો છું. જો અલ્લાહ ઈચ્છે તો તેને સજા મળશે. યુવકે કહ્યું કે, મારા રબની મરજી નહીં હોય, તો દુનિયામાં કોઈની હિમ્મત નથી કે, મને સજા આપી શકે.