Friday, August 15, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

નાઈજીરિયામાં સૌથી ભયાનક પૂરે દેશમાં મચાવી તબાહી

અત્યાર સુધીમાં 600થી વધુના મોત, 13 લાખ લોકો બેઘર

aaspassdaily by aaspassdaily
2022-10-17 10:42:04
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

નાઈજીરિયામાં છેલ્લા એક દાયકામાં આવેલા સૌથી ભયાનક પૂરે હાલ દેશમાં તબાહી મચાવી છે. આ પૂરમાં અત્યાર સુધીમાં 600થી વધુ લોકોના મોત થયા હોવાના અહેવાલો સામે આવ્યા છે. ગઇકાલે જાહેર કરવામાં આવેલા નવા આંકડામાં આ વિશે માહિતી આપવામાં આવી હતી. નાઇજીરીયાના એક મંત્રાલયે ટ્વિટર કરીને એક નિવેદન બહાર પાડ્યું હતું જેમાં જણાવ્યું હતું કે આ આપત્તિએ 1.3 મિલિયનથી વધુ લોકો એટલે કે 13 લાખથી વધુ લોકોને બેઘર થવા માટે મજબૂર કરી દીધા છે.
ફેડરલ મિનિસ્ટર ઓફ હ્યુમાનીટી અફેર્સના મંત્રી સાદિયા ઉમર ફારુકે જણાવ્યું હતું કે, ’16 ઓક્ટોબર, 2022 સુધી પૂરને કારણે 603થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે આ પહેલા ગયા અઠવાડિયા સુધી આ મૃત્યુઆંક 500 હતો. પણ અમુક રાજ્ય સરકારોએ પૂરનો સામનો કરવા માટે પૂરતી તૈયારી નહતી કરી અને તેના કારણે મૃત્યુઆંક વધ્યો છે.’ ઉમર ફારુકે આગળ જણાવ્યું હતું કે ‘પૂરના કારણે 82,000 થી વધુ ઘરો અને લગભગ 110,000 હેક્ટર ખેતીની જમીન સંપૂર્ણપણે નાશ પામી છે.’
નાઈજીરિયા આબોહવા પરિવર્તનથી ઘણો અસરગ્રસ્ત


નાઈજીરિયામાં સામાન્ય રીતે વરસાદની ઋતુ જુનની આસપાસ શરૂ થાય છે અને આ વખતે ઓગસ્ટ પછી વરસાદ થયો હતો. વર્ષ 2012માં આવેલ આવા જ ભયાનક પૂરમાં 363 લોકોએ જીવ ગુમાવ્યો હતો અને 21 લાખથી વધુ લોકો બેઘર બન્યા હતા. ઉપ-સહારા આફ્રિકામાં આવેલો આ દેશ આબોહવા પરિવર્તનથી ઘણો અસરગ્રસ્ત છે. તેની અર્થવ્યવસ્થા પહેલા જ રુસ-યુક્રેન યુદ્ધને કારણે ઘણી કટોકટીમાંથી પસાર થઈ રહી છે. આ સાથે જ દેશના ચોખા ઉત્પાદકોએ ચેતવણી આપી છે કે વિનાશક પૂરના કારણે દેશમાં લગભગ 20 કરોડ લોકોને વધતી મોંઘવારીનો સામનો કરવો પડી શકે છે.

Tags: floodnigeria
Previous Post

ચાર મોટી સરકારી વીમા કંપનીઓના કર્મચારીઓના પગારમાં 12 ટકાનો વધારો

Next Post

સોનામાંથી બનેલી આ મીઠાઈ, કિંમત છે 11000 રૂપિયા પ્રતિ 1 કિલો

aaspassdaily

aaspassdaily

Related News

PM મોદી આવતીકાલે લાલ કિલ્લા પર તિરંગો ફરકાવશે
તાજા સમાચાર

PM મોદી આવતીકાલે લાલ કિલ્લા પર તિરંગો ફરકાવશે

August 14, 2025
રશિયા યુદ્ધ નહીં અટકાવે તો ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે, પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી
આંતરરાષ્ટ્રીય

રશિયા યુદ્ધ નહીં અટકાવે તો ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે, પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી

August 14, 2025
પાકિસ્તાનમાં સ્વતંત્રતાની ઉજવણી બની રક્તરંજીત ગોળીબાર! 1 બાળકી સહિત 3ના મોત, અનેક ઘાયલ
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનમાં સ્વતંત્રતાની ઉજવણી બની રક્તરંજીત ગોળીબાર! 1 બાળકી સહિત 3ના મોત, અનેક ઘાયલ

August 14, 2025
Next Post
સોનામાંથી બનેલી આ મીઠાઈ, કિંમત છે 11000 રૂપિયા પ્રતિ 1 કિલો

સોનામાંથી બનેલી આ મીઠાઈ, કિંમત છે 11000 રૂપિયા પ્રતિ 1 કિલો

કચ્છમાં GHCLના પ્લાન્ટ સામે 20 ગામના લોકોએ નનામી કાઢીને કર્યો વિરોધ

કચ્છમાં GHCLના પ્લાન્ટ સામે 20 ગામના લોકોએ નનામી કાઢીને કર્યો વિરોધ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.