સુરેન્દ્રનગરના નાની કઠેચી ગામમાં એસટી બસમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બસમાં આગ લાગતા મુસાફરોમાં ભારે દહેશતો માહોલ જોવા મળી રહ્યો હતો જેના લીધે પરિસ્થિતિ વધુ પેચીદી બની હતી.બસમાં આગ ભભૂકી ઉઠી હતી પરતું જાગૃત નાગરિકોની સમયસૂચકતાથી બસમાં બેઠેલા 15 મુસાફરોનો આબાદ બચાવ થયો હતો, તમામ મુસાફરોએ આગમાંથી બચી જતા રાહતનો શ્વાસ લીધો હતો. બસમાં આગ લાગતા આની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી,ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચતા પહેલા જ બસ બળીને ખાખ થઇ ગઇ હતી.