Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

NRI વૃદ્ધનું ઘર પચાવી પાડનાર ભાણેજને પોલીસ કમિશનર તોમરે ભણાવ્યો પાઠ

ભાણેજે કહી દીધું હતું કે મકાન ખાલી કરાવું હોય તો 6 લાખ રૂપિયા આપવા પડશે

aaspassdaily by aaspassdaily
2022-11-02 10:44:48
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

સુરત શહેરમાં પોલીસની માનવતાનો કિસ્સો સામે આવ્યો છે. લંડન ખાતે રહેતા એક વૃદ્ધનું મકાન સુરતમાં રહેતા તેના ભાણેજે પચાવી પાડ્યું હતું. સિનિયર સિટીઝન પોલીસ સ્ટેશન પહોંચતા જ સુરત પોલીસ કમિશનરે પોલીસ અધિકારીને તાત્કાલિક આ બાબતે કાર્યવાહી કરવાની સૂચના આપી અને પારિવારિક સમાધાન કરાવી વૃદ્ધને પોતાનું મકાન પરત અપાવ્યું હતું.
રસિકલાલ પટેલ નામના વૃદ્ધ પરિવાર સાથે લંડનમાં રહે છે. રસિકલાલ પટેલનું મકાન સુરતના ઉધના વિસ્તારમાં હતું અને તેમને પોતાનું મકાન 2015માં અનિલકુમાર નામના તેમના ભાણેજને રહેવા માટે આપ્યું હતું. રસિકલાલ પટેલ ભાણેજ પાસેથી મકાન ભાડું કે કંઈ લેતા ન હતા અને ભાણેજને ફ્રીમાં મકાન રહેવા માટે આપ્યું હતું. 16 સપ્ટેમ્બરના રોજ રસિકલાલ પટેલ સુરતમાં આવ્યા હતા અને તેમને પહેલા પોતાના ભાણેજને મકાન ખાલી કરવા બાબતે સૂચન કર્યું હતું. રસિકલાલ પટેલના ભાણેજ અનિલકુમારે સ્પષ્ટપણે કહી દીધું હતું કે મકાન ખાલી કરાવું હોય તો 6 લાખ રૂપિયા આપવા પડશે. તેથી પોતાનું મકાન પરત મેળવવા માટે રસિકલાલ પટેલ ઉધના પોલીસ સ્ટેશનમાં ગયા હતા અને તે જ સમયે સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમર ઉધના પોલીસ સ્ટેશનની મુલાકાતે હતા.
પોલીસ સ્ટેશનમાં PSOની કામગીરી કેવી હોવી જોઈએ તે બાબતે સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમરે ઉધના પોલીસ સ્ટેશનની મુલાકાતે હતા. તે જ સમયે આ વૃદ્ધ રસિકલાલ પટેલ ઉધના પોલીસ સ્ટેશન આવ્યા હતા અને વૃદ્ધને પોલીસ સ્ટેશનમાં આવેલા જોઈ પોલીસ કમિશનર રસિકલાલ પટેલને મળ્યા હતા. ત્યારબાદ તેમની રજૂઆત સાંભળી હતી ત્યારબાદ સુરત પોલીસ કમિશનર અજય કુમાર દ્વારા પોલીસ અધિકારીને તાત્કાલિક અસરથી આ મામલે નિરાકરણ લાવવાનો આદેશ આપ્યો હતો અને પોલીસ દ્વારા રસિકલાલ પટેલના ભાણેજને પોલીસ સ્ટેશન બોલાવીને આ સમગ્ર મામલે પારિવારિક સમાધાન કરાવી રસિકલાલ પટેલને તેમનું ઘર પરત અપાવ્યું હતું.

Tags: Police com. Tomar help NRIsurat
Previous Post

ભારત જોડો યાત્રામાં અભિનેત્રી પૂજા ભટ્ટ સામેલ થઇ

Next Post

પુલવામા જેવા હુમલાનું હતું ષડયંત્ર, આતંકીઓ ઢેર

aaspassdaily

aaspassdaily

Related News

ઉત્તરાખંડમાં ભારે વરસાદથી બદ્રીનાથ નેશનલ હાઇવે બંધ
તાજા સમાચાર

ઉત્તરાખંડમાં ભારે વરસાદથી બદ્રીનાથ નેશનલ હાઇવે બંધ

June 28, 2025
રોયલ ટાઇગર ગેંગના સૂત્રધાર પ્રિન્સને CBIએ ઝડપી લીધો
તાજા સમાચાર

રોયલ ટાઇગર ગેંગના સૂત્રધાર પ્રિન્સને CBIએ ઝડપી લીધો

June 28, 2025
રાજ્યમાં 21 નવેમ્બરથી 31 જાન્યુઆરી સુધીમાં 156 ગેરકાયદે ધાર્મિક ઇમારતોને દૂર
તાજા સમાચાર

આસારામના વચગાળાના જામીન સાતમી જુલાઈ સુધી લંબાવ્યા

June 28, 2025
Next Post
પુલવામા જેવા હુમલાનું હતું ષડયંત્ર, આતંકીઓ ઢેર

પુલવામા જેવા હુમલાનું હતું ષડયંત્ર, આતંકીઓ ઢેર

ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ કમિટી બનાવવાના મુદ્દે ઓવૈસી રાતાચોળ !

ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ કમિટી બનાવવાના મુદ્દે ઓવૈસી રાતાચોળ !

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.