રાજ્યમાં બહુમત કોળી સમાજના મત અંકે કરવા ભાજપે ભાવનગર ગ્રામ્યના ઉમેદવાર અને કદાવર નેતા પરસોત્તમભાઈ સોલંકીને સ્ટાર પ્રચારક બનાવ્યા છે. આમ તો, વિધાનસભા સહિતની ચૂંટણીમાં દરેક વખતે પરસોતમભાઈ સોલંકીને બહુમત કોળી વિસ્તારમાં પ્રચાર પ્રસારની ધુરા સોપવામાં આવે છે પરંતુ ગત વખતે ભાજપે પુરુષોત્તમભાઈને સ્ટાર પ્રચારકમાંથી બાકાત રાખ્યા હતા, આથી જેનું એક કારણ પુરષોત્તમભાઈની નાદુરસ્ત તબિયતનું પણ હતું.

જોકે આ વખતે ભાજપે ફરીથી પરસોત્તમભાઈને સ્ટાર પ્રચારક બનાવી કોળી મત વિસ્તારમાં પ્રચાર પ્રસારની ધુરા સોપી છે, કોળી મતદારોની પ્રભુત્વ હોય તેવી સૌરાષ્ટ્રની દરેક બેઠક ખૂંદી વળવા પરસોતમભાઈ સોલંકીને ખાસ હેલિકોપ્ટરની ફાળવણી પણ કરાઈ છે. આજે પુરુષોત્તમભાઈ ભાવનગરથી ચોટીલા અને બાબરા ખાતે પ્રચાર માટે હેલિકોપ્ટરમાં ઉડાન ભરી હતી.