Monday, July 7, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

પ્રચંડ જીત હાંસલ કરવા ભાજપે તૈયાર કર્યો વધુ એક માસ્ટર પ્લાન

182 બેઠકો પર પ્રભારીઓ મૂક્યાં પેજ સમિતિના પ્રમુખ સુધીની કામગીરીનું સીધું જ મોનિટરીંગ

aaspassdaily by aaspassdaily
2022-11-19 10:41:58
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જીત હાંસલ કરવા ભાજપે એક એક્શન પ્લાન તૈયાર કર્યો છે. ભાજપે ગુજરાતની 182 બેઠકો પર પ્રભારીઓને મૂક્યાં છે. જેથી મતદાન બુથનો દરેક મેસેજ પેજ સમિતિના પ્રમુખ સુધી પહોંચશે. પેજ સમિતિના પ્રમુખ સુધીની કામગીરીનું સીધું જ મોનિટરીંગ કરાશે. તદુપરાંત વોર્ડથી માંડીને બુથ સુધીની કામગીરીનું સતત નિરીક્ષણ કરાશે. પ્રદેશ કક્ષાથી લઇને બુથ કક્ષાના કાર્યકરો વચ્ચે સેતુરૂપ ભૂમિકા બંધાશે. તેમજ ભવિષ્યમાં શક્તિ કેન્દ્રના માળખાને પણ વધારે મજબૂત બનાવાશે.
બીજી બાજુ ભારતીય જનતા પાર્ટી જીત માટે જૂના રાજકીય ફોર્મ્યુલાથી લઈને નવા જાતિવાદી સમીકરણ સુધીનો રાજકીય દાવ રમી રહી છે. આ અંતર્ગત પાર્ટીએ પાટીદારો અને ઓબીસી નેતાઓને ટિકિટ વહેંચણીમાં ખૂબ જ પ્રાધાન્ય આપ્યું છે. ભાજપે અત્યાર સુધીમાં કુલ 160 ટિકિટોમાંથી 40 પાટીદારો, 49 ઓબીસી, 24 અનુસૂચિત જનજાતિ, 13 અનુસૂચિત જાતિ, 13 બ્રાહ્મણો, 3 જૈન અને 17 ટિકિટ ક્ષત્રિય સમાજના લોકોને આપી છે.

40 પાટીદારો અને 49 ઓબીસી ઉમેદવારોને આપી છે ટિકિટ

40 પાટીદાર ઉમેદવારોમાંથી 23 ટિકિટ માત્ર લેઉવા પાટીદાર સમાજના લોકોને અને 17 ટિકિટ કડવા પાટીદાર સમાજના લોકોને આપવામાં આવી છે. પાર્ટીએ 49 ઓબીસી ઉમેદવારોમાં સૌથી વધારે કોળી સમાજને 17 અને ઠાકોર સમાજને 14 ટિકિટ આપી છે. આ રીતે આ ચાર જાતિઓને કુલ 71 એટલે કે 44 ટકા ટિકિટ આપવામાં આવી છે. મિશન 2022 અંતર્ગત ભાજપ આ જાતિઓ પર ફોકસ કરી રહ્યું છે.

પાટીદારોને આકર્ષવાના પ્રયાસો

છેલ્લી જાતિ આધારિત વસ્તી ગણતરી મુજબ, રાજ્યમાં પાટીદારોની વસ્તી લગભગ 11 ટકા હોવાનું માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે લગભગ 40 વિધાનસભા બેઠકો પર પાટીદારો જીત કે હાર નક્કી કરે છે. 1980 સુધી પાટીદાર સમાજને કોંગ્રેસની પરંપરાગત વોટ બેંક માનવામાં આવતી હતી, પરંતુ હવે તે ઘણા ટુકડાઓમાં વિભાજિત થઈ ગઈ છે. તમામ રાજકીય પક્ષો પાટીદારોને આકર્ષવાના પ્રયાસો કરી રહ્યાં છે.

Tags: BJP plan for gujarat election
Previous Post

યુટ્યુબ શોર્ટસ પરથી કમાણીની તક : લોન્ચ કર્યું નવું ફીચર

Next Post

રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં મેધા પાટકર જોડાતા સીએમ ભુપેન્દ્ર લાલઘૂમ

aaspassdaily

aaspassdaily

Related News

રાયગઢના દરિયાકાંઠે દેખાઈ શંકાસ્પદ પાકિસ્તાની બોટ
તાજા સમાચાર

રાયગઢના દરિયાકાંઠે દેખાઈ શંકાસ્પદ પાકિસ્તાની બોટ

July 7, 2025
ગુજરાતમાં 5 વર્ષમાં ખાડાના લીધે 400થી વધુના મોત
તાજા સમાચાર

ગુજરાતમાં 5 વર્ષમાં ખાડાના લીધે 400થી વધુના મોત

July 7, 2025
હિમાચલ પ્રદેશમાં વરસાદથી ભારે તબાહી, 78 ના મોત
તાજા સમાચાર

હિમાચલ પ્રદેશમાં વરસાદથી ભારે તબાહી, 78 ના મોત

July 7, 2025
Next Post
રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં મેધા પાટકર જોડાતા સીએમ ભુપેન્દ્ર લાલઘૂમ

રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં મેધા પાટકર જોડાતા સીએમ ભુપેન્દ્ર લાલઘૂમ

હારનો પડઘો: BCCIએ ચેતન શર્મા સહિત આખી સિલેક્શન કમિટીને હટાવી દીધી

હારનો પડઘો: BCCIએ ચેતન શર્મા સહિત આખી સિલેક્શન કમિટીને હટાવી દીધી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.