પાટીદાર અનામત આંદોલન છેડનાર ટોચના નેતાઓએ રાજકીય પક્ષોના અંચળા ઓઢી લેતાં લડત હવે મૃતઃપ્રાય બની છે, આટલું જ નહિ તે સમયે આંદોલનકારી કાર્યકરો પર થયેલા પોલીસ કેસ હજુ યથાવત છે તેનો કોઈ નિવેડો આવ્યો નથી, આથી સમાજ સાથે દ્રોહ થયો હોવાની લાગણી ઊભી થઈ છે. ચૂંટણી આવી છે ત્યારે આ મુદ્દો ફરી ગરમાયો છે. આ મુદ્દે ભાવનગર જિલ્લામાં પાસના કાર્યકરો મેદાનમાં આવ્યાં છે. ભૂતકાળમાં પાટીદાર આંદોલન સમયે થયેલા કેસો હજુ સુધી સત્તાધીશ સરકારે પરત ન ખેંચતા ભાજપ સરકાર વિરુદ્ધ મતદાન કરવાની ચીમકી ઉચ્ચારી છે.
ભાવનગરમાં શનિવારે પાસના કાર્યકરો દ્વારા પત્રકાર પરિષદ યોજી માહિતી આપતા જણાવ્યું હતું કે, ભૂતકાળમાં પાટીદાર આંદોલન સમયે થયેલા કેસો હજુ સુધી સત્તાધીશ સરકારે પરત ન ખેંચતા અને આ આંદોલનમાં શહીદ થનાર પરિવારોને નોકરી ન આપતા અમો ભાજપ સરકાર વિરુદ્ધ મતદાન કરીશું.
અગાઉના પાસના આંદોલન સમયના હાર્દિક પટેલ, રેશમાં પટેલ, અલ્પેશ કથીરિયા, ધાર્મિક માલવીયા, નીતિન ઘેલાણી સહિતના કાર્યકરો જુદી જુદી રાજકીય પાર્ટીમાં જાેડાય ગયા છે જેથી તેમને હવે આ બાબતે સમાજના આ પ્રશ્નને નથી ઉઠાવતા અને પાટીદાર આંદોલન સમયનો આ પ્રશ્ન હજુ ત્યાને ત્યાંજ છે ત્યારે એ લોકો ભલે હવે પાસમાં નથી પરંતું અમો પાસના કાર્યકરો હવે ચૂંટણી પૂર્વે ટીમો બનાવી આ મામલે સમાજ વચ્ચે જઈશું અને આગામી ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધ મતદાન કરીશું તેવી ચીમકી ઉચ્ચારી હતી.!