Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

૨૩મીએ મોદીની જાહેર સભા, તેના ત્રીજા દિવસે કેજરીવાલનો ભાવનગરમાં રોડ શો

પૂર્વ, પશ્ચિમ અને ગ્રામ્યના ઉમેદવારની જીત નિશ્ચિત કરવા પશ્ચિમ મત વિસ્તારમાં વડાપ્રધાન કરશે જન સભા

aaspassdaily by aaspassdaily
2022-11-21 14:02:35
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાવનગર અને સુરત બંને વિસ્તાર આમ આદમી પાર્ટી માટે ચડાણ સરળ હોવાનું માનવામાં આવી રહ્યું છે ત્યારે આ વખતની ચૂંટણીમાં ભાજપ અને આપ બંનેના રાષ્ટ્રીય નેતાઓ ભાવનગરમાં સમયાંતરે આવી રહ્યા છે, વડાપ્રધાન મોદી ચૂંટણી જાહેર થયા બાદ ટૂંકા ગાળામાં બીજી વખત આગામી ૨૩મીએ ભાવનગર આવી રહ્યા છે. જાેકે, ચૂંટણીનો સતાવાર આ પ્રથમ પ્રવાસ છે. તેમ છતાં ૫૨ દિવસમાં મોદી ત્રણ વખત ભાવનગર આવે તે રાજકીય રીતે ઘણું જ મહત્વનું છે, તો આપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો ભાવનગરના પ્રવાસનો ઉપક્રમ બની ગયો છે તેમ કહીએ તો ખોટું નહિ ગણાય!
વિધાનસભાની ચૂંટણીમાં ભાવનગર જિલ્લામાં ખાસ કરીને ભાવનગર શહેરની પૂર્વ અને પશ્ચિમ વિધાનસભા બેઠક રાજકીય પક્ષો માટે મહત્વની હોય તે રીતે સભા સરઘસોના આયોજનો થઈ રહ્યા છે. ભાવનગર ખાતે આગામી ૨૩મીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર સભા પશ્ચિમ મત વિસ્તારના ચિત્રા સ્વામિનારાયણ મંદિરના ગ્રાઉન્ડમાં યોજાશે જ્યારે ૨૬મી ના રોજ ભાવનગર શહેરમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની રેલી યોજાશે આથી ચૂંટણીના અંતિમ દિવસોમાં ગરમાવો આવશે.
૨૩ મી નવેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવનગર પૂર્વ, પશ્ચિમ અને ભાવનગર ગ્રામ્યના ઉમેદવારના સમર્થનમાં જંગી જાહેર સભા કરશે જ્યારે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ ૨૬ મી નવેમ્બરે ભાવનગર આવી રહ્યા છે. તેઓ શહેરના ટાઉનહોલથી ખારગેટ સુધી અરવિંદ કેજરીવાલની રેલી યોજાશે. ભાવનગર પૂર્વ અને પશ્ચિમ બંને વિધાનસભા વિસ્તારની હદયને સ્પર્શતા વિસ્તારમાં કેજરીવાલની રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.

Tags: bhavnagarModi sabha 23 november
Previous Post

ચહેરા નવા, પ્રશ્નનો જૂના : પાટીદાર યુવાનોને પોલીસ, કોર્ટ કચેરીના ચક્કર કાપતા મૂકી આંદોલનકારી નેતાઓ રાજકીય પક્ષોમાં જાેડાઇ જતા રોષ

Next Post

આ મોદી દિલ્હીમાં છે પણ એને ગુજરાતની ખબર હોય: PM

aaspassdaily

aaspassdaily

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
આ મોદી દિલ્હીમાં છે પણ એને ગુજરાતની ખબર હોય: PM

આ મોદી દિલ્હીમાં છે પણ એને ગુજરાતની ખબર હોય: PM

સુરતમાં IT વિભાગનો સપાટો

સુરતમાં IT વિભાગનો સપાટો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.