ગુજરાતની ચૂંટણીને આડે હવે માત્ર આઠ જ દિવસ બાકી રહ્યાં છે ત્યારે હાલ તમામ રાજકીય પક્ષો ચૂંટણી પ્રચાર માટે એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે. ત્યારે સૌરાષ્ટ્રમાં પ્રચારનું રણશિંગુ ફૂંક્યા બાદ હવે PM મોદી મધ્ય ગુજરાતમાં જંગી જનસભાઓ સંબોધશે.
PM મોદી આવતીકાલથી ફરી બે દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. PM મોદી મધ્ય ગુજરાતમાં તારીખ 23 નવેમ્બરના રોજ મહેસાણા, દાહોદ અને વડોદરામાં જંગી જનસભાઓને સંબોધન કરશે જ્યારે 24 નવેમ્બરના રોજ PM મોદી પાલનપુર, દહેગામ અને અમદાવાદ ગ્રામ્યમાં જનસભા કરશે.
ઉલ્લેખનીય છે કે, PM મોદીએ તારીખ 19-20 અને 21ના રોજ સૌરાષ્ટ્રમાં પ્રચારનું રણશિંગુ ફૂંક્યુ હતું. PM મોદીએ ગઇકાલે સુરેન્દ્રનગર અને નવસારીમાં જંગી જનસભાને સંબોધી કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. PM મોદીએ ગઇકાલે સુરેન્દ્રનગરમાં કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું હતું કે, ‘કોંગ્રેસવાળા કહે છે કે આ મોદીને તેની ઓકાત બતાવી દઇશું, અરે મારી કોઈ ઓકાત નથી. હું સામાન્ય પરિવારમાંથી આવ્યો છું ભાઈ. અરે અમારી કોઈ ઓકાત નથી.
વધુમાં કહ્યું હતું કે, હું ઝાલાવાડમાં હેલિકોપ્ટરમાંથી ઉતર્યો કે તુરંત જ સંતોએ મને આશીર્વાદ આપ્યા, તે મારું સૌભાગ્ય છે અને હું સંતોના ચરણોમાં પ્રણામ કરું છું. આ મોદી દિલ્હીમાં છે પણ એને ગુજરાતની ખબર હોય, ગુજરાતમાં આ વખતે મગફળીમાં ખેડૂતોને શું ભાવ મળ્યા! આશીર્વાદ આપજો અમને આશીર્વાદ આપજો, આ પદ માટે યાત્રા કરનારાઓને તો કપાસ અને મગફળીમાં અંતર જ ખબર નહીં હોય. બહારથી આવેલા લોકોને ખબર જ નથી.’