ભાજપની બે દિવસીય બેઠકનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે. આ માટે તેઓ ગાંધીનગરમાં મતદાન કર્યા બાદ સીધા દિલ્હી જવા રવાના થશે. બેઠકમાં તમામ રાજ્યોના પ્રદેશ પ્રભારી, સહપ્રભારી, મોરચાના પ્રભારી, સંગઠન મંત્રીઓ ભાગ લઈ રહ્યા છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાન બાદ ભાજપ એક નવા મિશન પર ઉતરશે. ભારતીય જનતા પાર્ટી સોમવારે ગુજરાતમાં છેલ્લા તબક્કાનું મતદાન પૂરું થતાંની સાથે જ 2023 અને 2024માં યોજાનારી ચૂંટણી માટેની રણનીતિ તૈયાર કરશે. આ બેઠકમાં પીએમ મોદી અને અમિત શાહ પણ હાજર રહેશે. આ સત્રમાં આવતા વર્ષે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને અન્ય રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીઓ પર ચર્ચા કરવામાં આવશે, તેમજ 2024ની લોકસભાની ચૂંટણી માટે પણ વિચાર મંથન કરવામાં આવશે.