Wednesday, July 2, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

શિશુવિહારમા માનભાઈ ભટ્ટની સ્મૃતિમાં યોજાયો નાગરિક અભિવાદન સમારોહ

પૂ.મોરારિબાપુના હસ્તે ડો.ભરતભાઈ ભગત, ડો.શ્રેયાબેન શાહ, ડો.નલીનભાઈ પંડિત, ડો.છાયાબેન પારેખનુ રોકડ તથા સ્મૃતિ ચિહ્નથી કરાયુ સન્માન

aaspassdaily by aaspassdaily
2022-12-05 14:47:13
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ગુજરાતના મુઠ્ઠી ઉંચેરા લોક સેવક અને શિશુવિહાર સંસ્થાના સ્થાપક માનભાઈ ભટ્ટની સ્મૂતિમાં સતત ૩૨મો નાગરિક સન્માન સમારોહ ગઇકાલે રવિવારે શિશુવિહાર પ્રાંગણમાં યોજાયો હતો. મોરારીબાપુની અધ્યક્ષતામાં નાગરિક સન્માન સમારોહમાં અમદાવાદના પોલિયો ફાઉન્ડેશનના સ્થાપક અને સર્જન ડો. ભરતભાઈ ભગત તેમજ દેશના છેવાડેના આદિવાસી ગરીબ ભાઈ-બહેનોની સેવાર્થે અમેરિકાથી પરત આવી દાહોદના અંતરિયાળ વિસ્તારમા બાળ રોગ માટે હોસ્પિટલ ચલાવતા ડૉ. શ્રેયાબહેન શાહ તથા ગુજરાત રાજ્ય શિક્ષણ અને તાલીમભવનના પૂર્વ નિયામક ડૉ. નલિનભાઈ પંડિત તથા પેરેન્ટિગ ફોર પીસની રાજ્ય વ્યાપી મુવમેન્ટના કન્વિનર પ્રાધ્યાપક ડૉ. છાયાબહેન પારેખનું બાળવિકાસ માટેની ખેવનાઓનું મોરારીબાપુની પ્રેરક ઉપસ્થિતિમાં અભિવાદન કરવામાં આવ્યું હતુ.


પ્રતિકારભર્યો પુરુષાર્થ કરતા રહી પ્રભુ પ્રીત્યર્થે માનવસેવામાં વ્યસ્ત ગુજરાતના પ્રતિભા સંપન્ન નાગરિકોના સન્માનનો વર્ષ ૧૯૯૧થી પ્રારંભયેલ સદવિચારને ભાવનગરની સંસ્કાર ભૂમિથી આગળ વધારતા ચિત્રકૂટધામ તેમજ શિશુવિહાર દવારા પ્રત્યેકને રૂ/- ૫૦,૦૦૦, ખેસ, સ્મૃતિચિન્હથી વંદના કરવામાં આવી હતી.
મોરારિબાપુના સાનિધ્યમાં યોજાતા સમારોહ પ્રસંગે શિશુવિહાર સંસ્થા દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની પ્રાથમિક શાળાઓમાં વર્ષ ૨૦૦૯થી ચાલતી બાળ પુસ્તકાલય પ્રવૃત્તિ અંતર્ગત તમામ શાળાઓમાં ૧૦૦ પુસ્તકોનો સંપુટ અને જરૂરિયાતમંદ ૧૭૦૦ વિધાર્થીઓને સ્કૂલ કીટનું વિતરણ કરાયું છે.
આ પ્રસંગે બાળકો અને વયસ્કોની દ્રષ્ટિ ચકાસણી કાર્યમાં અનન્ય સેવા આપનાર સુધાબહેન કનુભાઈ શાહ ચેરીટેબલ ટ્રસ્ટ અને માતૃભાષા સંવર્ધન માટે કાર્યરત સ્વ. અનિલભાઈ શ્રીધરાણી પરિવારે સંસ્થાને ચેક અર્પણ કરી સન્માનિત કરવામાં આવેલ.
આ પ્રસંગે ગુજરાતના વિવિધ સામયિકોમાં પ્રકાશિત શિશુવિહારની પ્રવૃત્તિઓના લેખોનું સંકલન પુસ્તક ‘ શિશુવિહારનું નવચેતન’નું વિમોચન પૂજ્ય મોરારીબાપુના વરદ હસ્તે થયું હતુ
ભાવનગરની સેવા અને શિક્ષણની ઓળખરૂપ શિશુવિહાર પ્રાંગણમાં યોજાયેલ સન્માન સમારોહનું સંકલન સાગરભાઈ દવે તથા સંસ્થાના કાર્યકરોએ કર્યું હતું.

Tags: bhavnagarsanman karyakramshishuvihar
Previous Post

હાદાનગરના યુવાનને ઇકો કારમાં ઉઠાવી જઈ પાંચ શખ્સોએ રૂા. બે લાખની માંગણી કરી

Next Post

ઇસ્કોન મંદિર ભાવનગરમાં ગીતા જયંતી નિમિત્તે શ્રીમદ ભગવત ગીતાના ૭૦૦ શ્લોક સાથે યજ્ઞમાં આહુતિ અપાઇ

aaspassdaily

aaspassdaily

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
ઇસ્કોન મંદિર ભાવનગરમાં ગીતા જયંતી નિમિત્તે શ્રીમદ ભગવત ગીતાના ૭૦૦ શ્લોક સાથે યજ્ઞમાં આહુતિ અપાઇ

ઇસ્કોન મંદિર ભાવનગરમાં ગીતા જયંતી નિમિત્તે શ્રીમદ ભગવત ગીતાના ૭૦૦ શ્લોક સાથે યજ્ઞમાં આહુતિ અપાઇ

ભાવનગર ખાતે વધુ એક મહાયજ્ઞની શરૂઆત

ભાવનગર ખાતે વધુ એક મહાયજ્ઞની શરૂઆત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.