Sunday, August 24, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

છેવાડાના માનવી સુધી અનાજ પહોંચાડો – સુપ્રીમે કેન્દ્રને આપ્યો આદેશ

'કોઈ ભૂખ્યું ન સુવે, છેવાડાના માનવી સુધી અનાજ પહોંચે તે આપણી ફરજ'- સુપ્રીમ

aaspassdaily by aaspassdaily
2022-12-07 10:45:03
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

કોરોના અને લોકડાઉનના સમયમાં પ્રવાસી મજૂરો ભારે ભીંસમાં આવ્યાં હતા અને તેમને ખાવાના પણ ફાંફા પડી ગયા હતા અને હજુ કેટલેક અંશે આ સ્થિતિ ચાલુ રહેતા સુપ્રીમ કોર્ટનો જીવ કકળી ઉઠ્યો હતો જોકે કોર્ટે સરકારને સીધું એમ નથી કે તમે ગરીબોને અનાજ પહોંચાડવા માટે કંઈ કર્યું નથી પરંતુ માનવતાને નાતે સુપ્રીમે સરકારને કહ્યું છે કે કોઈ પણ વ્યક્તિ ભૂખો ન સુવે અને છેવાડાના માનવી સુધી અનાજ પહોંચાડવું એ આપણી ફરજ છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે આપણી સંસ્કૃતિ છે કે આપણે એ સુનિશ્ચિત કરવું જોઈએ કે કોઈ પણ વ્યક્તિ ભૂખ્યો ન સૂવે. મંગળવારે એક કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, કેન્દ્રએ એ સુનિશ્ચિત કરવું જોઇએ કે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ અનાજ છેવાડાના વ્યક્તિ સુધી પહોંચે. જસ્ટિસ એમ આર શાહ અને હિમા કોહલીની ખંડપીઠે કેન્દ્રને નિર્દેશ આપ્યો હતો કે ઈ-શ્રમ પોર્ટલ પર નોંધાયેલા સ્થળાંતર અને અસંગઠિત ક્ષેત્રના મજૂરોની સંખ્યા સાથે એક નવો ચાર્ટ રજૂ કરવામાં આવે.
સુપ્રીમે કહ્યું કે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ (એનએફએસએ) હેઠળ અનાજ છેવાડાના વ્યક્તિ સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવું એ કેન્દ્ર સરકારની ફરજ છે. અમે એમ નથી કહી રહ્યા કે કેન્દ્ર કંઈ કરી રહ્યું નથી, ભારત સરકારે કોવિડ દરમિયાન લોકોને અનાજ આપ્યું છે. સાથે સાથે આ પ્રક્રિયા ચાલુ રહે તે પણ જોવું રહ્યું. કોઈ ખાલી પેટે ન સૂવે તે આપણી સંસ્કૃતિ છે. સરકારનું પ્રતિનિધિત્વ કરતા એડિશનલ સોલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટીએ કહ્યું કે એનએફએસએ હેઠળ 81.35 કરોડ લાભાર્થીઓ છે, જે ભારત માટે પણ મોટી સંખ્યા છે.

શું છે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદો
યુપીએ સરકારના શાસન દરમિયાન 10 સપ્ટેમ્બર, 2013ના રોજ રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદો અમલમાં આવ્યો હતો. તેનો હેતુ લોકોને ગૌરવભર્યું જીવન જીવવા માટે પોષણક્ષમ ભાવે ગુણવત્તાયુક્ત અનાજનો જરુરી જથ્થો આપવાનો હતો. આ કાયદા હેઠળ 75 ટકા ગ્રામીણ વસ્તી અને 50 ટકા શહેરી વસ્તીને સરકાર દ્વારા ખૂબ જ ઓછા ભાવે અનાજ પૂરું પાડવામાં આવે છે.

Tags: food suplly for every personindiasupreme court
Previous Post

આજથી સંસદનુ શિયાળુ સત્ર: 16 નવા બિલ રજૂ કરવાની તૈયારીમાં સરકાર

Next Post

6 વર્ષ બાદ FIFA વર્લ્ડકપમાં પોર્ટુગલની ટીમે સર્જ્યો રેકોર્ડ

aaspassdaily

aaspassdaily

Related News

ઈસરો દ્વારા સ્પેસ જગતમાં ખળભળાટ મચાવી દેવાની તૈયારી
તાજા સમાચાર

ઈસરો દ્વારા સ્પેસ જગતમાં ખળભળાટ મચાવી દેવાની તૈયારી

August 23, 2025
ડોનાલ્ડ ટ્રમ્પે પ્રમુખપદને ધીકતો ધંધો બનાવ્યો પરિવારની આવક અબજો ડોલરમાં પહોંચી!
આંતરરાષ્ટ્રીય

ડોનાલ્ડ ટ્રમ્પે પ્રમુખપદને ધીકતો ધંધો બનાવ્યો પરિવારની આવક અબજો ડોલરમાં પહોંચી!

August 23, 2025
ગંગા સ્નાન કરીને આવતા આંઠ શ્રદ્ધાળુઓના અકસ્માતમાં મોત
તાજા સમાચાર

ગંગા સ્નાન કરીને આવતા આંઠ શ્રદ્ધાળુઓના અકસ્માતમાં મોત

August 23, 2025
Next Post
6 વર્ષ બાદ FIFA વર્લ્ડકપમાં પોર્ટુગલની ટીમે સર્જ્યો રેકોર્ડ

6 વર્ષ બાદ FIFA વર્લ્ડકપમાં પોર્ટુગલની ટીમે સર્જ્યો રેકોર્ડ

બેલગાવી સરહદ વિવાદ: બોમ્મઈ અને શિંદેએ ફોન પર વાત કરી

બેલગાવી સરહદ વિવાદ: બોમ્મઈ અને શિંદેએ ફોન પર વાત કરી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.