કાશ્મીર રાજ્ય તપાસ એજન્સીના અધિકારીઓએ જણાવ્યું કે, કેન્દ્રશાસિત પ્રદેશમાં પ્રતિબંધિત જમાત-એ-ઈસ્લામીની કરોડો રૂપિયાની કિંમતની અનેક મિલકતો સીલ કરવામાં આવી છે, આ મિલકતો કેન્દ્રશાસિત પ્રદેશના ચાર જિલ્લામાં આવેલી હતી. જમ્મુ-કાશ્મીરમાં જમાત-એ-ઈસ્લામી વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. રાજ્યની તપાસ એજન્સીએ શનિવારે પ્રતિબંધિત જમાત-એ-ઈસ્લામીની કરોડો રૂપિયાની સંપત્તિને સીલ કરી દીધી છે. સંલગ્ન મિલકતો ચાર જિલ્લામાં આવેલી છે. આ કાર્યવાહી ટેરર ફંડિંગ રોકવા અને રાજ્યમાં આતંકવાદને ખતમ કરવા માટે છે.
કેન્દ્રશાસિત પ્રદેશમાં પ્રતિબંધિત જમાત-એ-ઈસ્લામી ની કરોડો રૂપિયાની કિંમતની અનેક મિલકતો સીલ કરવામાં આવી છે, એમ કાશ્મીર રાજ્ય તપાસ એજન્સી (SIA) ના અધિકારીઓએ જણાવ્યું હતું, બારામુલ્લા, બાંદીપોરા, ગાંદરબલ અને કુપવાડા જિલ્લામાં જમાત-એ-ઈસ્લામીની મિલકતો જપ્ત કરવામાં આવી છે. આ મિલકતોની કિંમત 100 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. એસઆઈએએ ચાર જિલ્લાના ડીએમને મિલકતો જપ્ત કરવાની કાર્યવાહી વિશે માહિતી આપતી વખતે કોઈપણ ફેરફાર કરવા પર પ્રતિબંધ મૂક્યો છે.
વાસ્તવમાં જમાત-એ-ઈસ્લામીની મિલકતોમાંથી થતી આવક સાથે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદને આશ્રય આપવાનો આરોપ છે. તપાસ એજન્સીઓ અનુસાર, જમાત-એ-ઈસ્લામી રાજ્યમાં અલગાવવાદીઓની ગતિવિધિઓ માટે તેની સંપત્તિ અને કનેક્શનનો ઉપયોગ કરે છે. આ કાર્યવાહી જમાતના નેટવર્કને તોડવા અને ટેરર ફંડિંગ રોકવા માટે છે. SIAએ સમગ્ર કેન્દ્રશાસિત પ્રદેશમાં JeIની 188 મિલકતોની ઓળખ કરી છે.
એજન્સીએ કહ્યું કે અલગતાવાદીઓની ગતિવિધિઓને ખતમ કરવા માટે જમાત-એ-ઈસ્લામી પર ક્રેકડાઉન એક મહત્વપૂર્ણ પગલું છે. જો કે, એજન્સીએ કહ્યું કે ઘણા જિલ્લાઓમાં જમાતે તેની તમામ મિલકતો ભાડે આપી દીધી છે. એજન્સીએ આ મિલકતોના ભાડે આપનારાઓને કોઈ ફેરફાર ન કરવા જણાવ્યું છે. એજન્સીએ કહ્યું કે જે સામાન્ય લોકો આ મિલકતો ભાડે લઈને પોતાનો વ્યવસાય કરે છે તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં. પરંતુ આમાંથી કોઈ નેટવર્ક સાથે જોડાયેલ છે કે કેમ તે તપાસવામાં આવશે.