પૂર્વ વડાપ્રધાન ‘ભારત રત્ન’ અટલબિહારી બાજપાઈ જન્મદિવસ નિમિત્તે ભાજપ દ્વારા રવિવારે સિહોરમાં સુશાસન દિવસ ઉજવાશે. તાજેતરમાં ચૂંટાયેલા સુશાસનના સહયોગીઓ ભાજપના ધારાસભ્યોનું આ કાર્યક્રમમાં સન્માન કરાશે. રવિવાર તા.૨૫ ડિસેમ્બર એટલે પૂર્વ વડાપ્રધાન ‘ભારત રત્ન’ અટલ બિહારી બાજપાઈનો જન્મ દિવસ છે, જે નિમિત્તે ભાજપ દ્વારા સુશાસન દિવસ ઉજવણી થનાર છે અને સુશાસનના સહયોગીઓનું સન્માન કરાશે. આ પ્રસંગે કેન્દ્રીયમંત્રી મનસુખભાઈ માંડવિયાના અધ્યક્ષ સ્થાને અને સાંસદ તથા ભાજપ રાષ્ટÙીય ઉપાધ્યક્ષ ભારતીબેન શિયાળની મુખ્ય ઉપÂસ્થતિમાં ભાવનગર જિલ્લાના ભાજપના ધારાસભ્યોનું આ કાર્યક્રમમાં સન્માન કરાશે.
ભાવનગર જિલ્લામાં મતદારોએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં રાષ્ટÙીય ભાવના સાથે થઈ રહેલા સર્વાંગી વિકાસ અભિગમને સમજી ભાજપના ઉમેદવારોને વિજયી બનાવ્યા છે, જે ગૌરવરૂપ બાબત હોઈ રવિવારે સવારે સિહોર ખાતે મંત્રી બનેલા પુરુષોત્તમભાઈ સોલંકી, શિવાભાઈ ગોહિલ, શંભુનાથજી ટુંડિયા, ભિખાભાઈ બારૈયા તથા ગૌતમભાઈ ચૌહાણનું સન્માન કરવામાં આવનાર છે.
સિહોર ખાતેના આ કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ અગ્રણીઓ મહેન્દ્રસિંહ સરવૈયા, રઘુભાઈ હુંબલ, જિલ્લા પંચાયત પ્રમુખ ભરતસિંહ ગોહિલ તેમજ અન્ય હોદ્દેદારોની વિશેષ ઉપÂસ્થતિ રહેશે.





