Sunday, July 6, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

વન રેન્ક વન પેન્શન યોજનાની સરકારે કરી સમીક્ષા, 25 લાખ પેન્શનરો મળશે લાભ

aaspassdaily by aaspassdaily
2022-12-24 11:09:31
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે શુક્રવારે બેઠક બાદ ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લીધા હતા. આમાં સશસ્ત્ર દળો માટે વન રેન્ક વન પેન્શન અને ગરીબો માટે મફત રાશનનો સમાવેશ થાય છે. બેઠકમાં સશસ્ત્ર દળો માટે OROPમાં સુધારો કરવામાં આવ્યો છે. આ સાથે સરકારે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ 81.3 કરોડ ગરીબ લોકોને એક વર્ષ માટે મફત રાશન આપવાનો નિર્ણય કર્યો છે.
કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રીએ માહિતી આપી હતી કે OROP લાભાર્થીઓની સંખ્યા 25,13,002 પર પહોંચી ગઈ છે જેમાં 1.7.2014 પછી નિવૃત્ત થયેલા સુરક્ષા કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે. 1.4.2014 પહેલા આ સંખ્યા 20,60,220 હતી. તેનાથી સરકાર પર 8,450 કરોડ રૂપિયાનો વધારાનો બોજ પડશે. 1.7.2014 પછી સ્વૈચ્છિક રીતે નિવૃત્ત થયેલા સંરક્ષણ કર્મચારીઓને આ લાભ મળશે નહીં. આ સુધારો એવા સશસ્ત્ર દળોના કર્મચારીઓને આવરી લેશે જેઓ 30 જૂન, 2019 સુધી નિવૃત્ત થયા છે (જુલાઈ 01, 2014થી અમલમાં આવતા પ્રી-મેચ્યોર (PMR) નિવૃત્ત સિવાય). વન રેન્ક વન પેન્શનહેઠળ આવરી લેવામાં આવેલા તમામ પેન્શનરો અને ફેમિલી પેન્શનરોને તેનો લાભ મળશે.
કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે કહ્યું કે સરકારે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ 81.3 કરોડ લોકોને એક વર્ષ (ડિસેમ્બર ૨૦૨૩ સુધી) માટે મફત અનાજ વિતરણ કરવાનો નિર્ણય લીધો છે. રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ ગરીબોને મફત રાશન આપવા પર લગભગ બે લાખ કરોડ રૂપિયાનો ખર્ચ થશે, તેનો બોજ કેન્દ્ર સરકાર ઉઠાવશે.
કેન્દ્રીય ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી ગોયલે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ હેઠળ સરકાર પ્રતિ કિલો રૂ.3ના દરે ચોખા, રૂ.2 પ્રતિ કિલોના દરે ઘઉં અને રૂ.1 પ્રતિ કિલોના દરે બરછટ અનાજ આપે છે. સરકારે નિર્ણય લીધો છે કે ડિસેમ્બર 2023 સુધી તે સંપૂર્ણપણે મફત રહેશે. તેનાથી 81.35 કરોડ લોકોને ફાયદો થશે. NFSA કાયદા હેઠળ, જે ખાદ્ય સુરક્ષાની બાંયધરી આપે છે, સરકાર દરેક પાત્ર વ્યક્તિને 2-3 રૂપિયા પ્રતિ કિલોના દરે દર મહિને પાંચ કિલોગ્રામ અનાજ પ્રદાન કરે છે. સાથે જ અંત્યોદય અન્ન યોજના હેઠળ આવતા પરિવારોને દર મહિને 35 કિલો અનાજ મળે છે. NFS હેઠળ, ગરીબોને 3 રૂપિયા પ્રતિ કિલોના દરે ચોખા અને 2 રૂપિયા પ્રતિ કિલોના દરે ઘઉં આપવામાં આવે છે. કેન્દ્રીય કેબિનેટના આ નિર્ણયને દેશના ગરીબો માટે ‘નવા વર્ષની ભેટ’ ગણાવતા તેમણે કહ્યું કે લાભાર્થીઓને હવે અનાજ માટે એક રૂપિયો પણ ચૂકવવો પડશે નહીં.

Tags: indiaOROP samixa
Previous Post

ગુજરાત યુનિવર્સિટીમાં UGCએ ઓનલાઇન શિક્ષણને આપી મંજૂરી

Next Post

નર્મદાના નીર થકી સૌની યોજના દ્વારા સૌરાષ્ટ્રના જળાશયો ભરવામાં આવશે

aaspassdaily

aaspassdaily

Related News

પુરીમાં ભગવાન જગન્નાથજી આજે શ્રી મંદિર પરત ફરશે
તાજા સમાચાર

પુરીમાં ભગવાન જગન્નાથજી આજે શ્રી મંદિર પરત ફરશે

July 5, 2025
કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો
તાજા સમાચાર

કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો

July 5, 2025
દાહોદ, નર્મદા સહિત આ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના
તાજા સમાચાર

ગુજરાતમાં 24 કલાકમાં 201 તાલુકાઓમાં પડ્યો વરસાદ

July 5, 2025
Next Post
નર્મદાના નીર થકી સૌની યોજના દ્વારા સૌરાષ્ટ્રના જળાશયો ભરવામાં આવશે

નર્મદાના નીર થકી સૌની યોજના દ્વારા સૌરાષ્ટ્રના જળાશયો ભરવામાં આવશે

પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ આવતા ભક્તો માટે માસ્ક પહેરવાનો ફરજિયાત

પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ આવતા ભક્તો માટે માસ્ક પહેરવાનો ફરજિયાત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.