ભાવનગર જિલ્લાના અવાણીયા ગામે ૧૦૮ ની ટીમે સગર્ભાનો કેસ મળતાં ભાવનગર ૧૦૮ ની ટીમના ઈએમટી દિનેશભાઈ દિહોરા અને પાયલોટ પ્રકાશભાઈ ગોહિલ તાત્કાલિક અવાણીયા ગામે પહોંચ્યાં હતાં.
અવાણીયા ગામે સ્થળ પર તપાસ કરતા ઘર પર જ મહિલા ને પ્રસુતિની પીડા થવા લાગી હતી તેમજ બાળક અવળું થઈ ગયું હોય અને બાળકના ગળા ફરતે નાભી નાળ વીંટળાઈ ગઈ હતી આવી પરિસ્થિતિમાં ઈએમટી દિનેશભાઈ દીહોરા તેમજ પાયલોટ પ્રકાશભાઈ ગોહિલે સમય સૂચકતા પ્રમાણે ૧૦૮ ઈમરજન્સી ફિઝિશિયનનો સંપર્ક કરી તેની સલાહ મુજબ બાળકની જાેખમી પ્રસૂતિ કરવાની ફરજ પડી હતી.
જેમાં બાળકના ગળા ફરતે વિટળાયેલી નાભી નાળને ડોકટરની સલાહ મુજબ ત્યા જ કટ કરી અને બાળકની જાેખમી પ્રસૂતિ કરી હતી પરંતુ બાળકના શ્વાસો સ્વાસ અને ધબકારા ચાલતા ન હોવાથી ફિજીશ્યનની સલાહ મુજબ બાળકને તરત જ એમ્બ્યુલન્સમાં લઈ છાતી ઉપર દબાણની સાથે કૃત્રિમ શ્વાસ આપતા બાળકના ધબકારા ચાલુ થઈ ગયા હતા.
આ રીતે સારવાર આપવાની સાથે જ બાળકમાં જાણે ચમત્કાર થયો હોય તેમ બાળક રડવા લાગ્યું હતું બાળકને રડતો જાેઈ બાળકના પરિવારજનોમાં જીવમાં જીવ આવ્યો હતો, અને પરિવારજનો જણાવ્યું હતું કે ૧૦૮ જ અમારી ભગવાન છે. બાળકને આગળની સારવાર માટે ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
આમ, ગામે ઇએમટી, પાયલટ તથા ઇએમઇ પ્રભાત મોરી તથા પ્રોગ્રામ મેનેજર ફાયાજ ખાન પઠાણની સમય સૂચકતાથી નવજાતનો જીવ બચાવીને ૧૦૮ની સેવા વધુ એક વાર સંજીવની સાબિત થઇ છે.