સાળંગપુરધામ કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પવિત્ર ધનુર્માસ નિમિતે આજે મંગળવારના રોજ કષ્ટભંજનદેવ દાદાને શાકભાજીનો દિવ્ય શણગાર ધરાવવામાં આવેલ જેમા બટાકા, રીંગણા, કોબી, ફુલાવર, ટામેટા સહીત વિવિધ જાતના અંદાજીત ૨૦૦ કિલો શાકભાજીનો દિવ્ય શણગાર કરી સવારે ૫ઃ૩૦ કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા તેમજ ૭ કલાકે શણગાર આરતી કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા કરવામાં આવેલ તેમજ સવારે ૭ઃ૩૦ કલાકે રાજાેપચાર પૂજન-અર્ચન-મહાઆરતી કરવામાં આવેલ તથા મંદિરના પટાંગણમાં મારુતિ યજ્ઞ તથા સમગ્ર પવિત્ર ધનુર્માસ નિમિતે પારિવારિક શાંતિ માટે હનુમાન ચાલીસ યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે.