કેન્દ્ર સરકાર દ્રારા આતંકી હુમલાના એલર્ટને પગલે જમ્મુમાં CRPFના 1800 જવાનોને ગોઠવી દીધા છે. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ રાજૌરી જિલ્લામાં તાજેતરમાં થયેલા આતંકવાદી હુમલામાં નાગરિકોની હત્યાને ધ્યાનમાં રાખીને વધારાની 18 કંપનીઓ – 1800 સૈનિકો જમ્મુ અને કાશ્મીર મોકલશે. સૂત્રોના જણાવ્યા અનુસાર પુંછ અને રાજૌરી જિલ્લામાં સૈનિકોને તૈનાત કરવામાં આવશે. જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લામાં બે આતંકવાદી ઘટનાઓમાં બે સગીર પિતરાઈ સહિત છ લોકો માર્યા ગયા હતા.
સોમવારે IED બ્લાસ્ટમાં બે પિતરાઈ ભાઈઓ માર્યા ગયા હતા. જ્યારે રવિવારે સાંજે રાજૌરી જિલ્લાના વિસ્તારમાં આતંકવાદીઓએ ત્રણ મકાનો પર ગોળીબાર કર્યો હતો જેમાં ચાર નાગરિકોના મોત થયા હતા અને છ ઘાયલ થયા હતા. મંગળવારે દરેકના તેમના વતન ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.