ગુજરાત સરકાર દ્વારા સ્થાપિત ડૉ.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સીટી વિધાર્થીઓને ઘરે બેઠાં અભ્યાસની ઉત્તમ તક પૂરી પાડવામાં આવે છે બી.એ.ઓ.યુ. દ્વારા સ્નાતક,અનુસ્નાતક,ડીપ્લોમાં તેમજ સર્ટીફીકેટના ૮૦ થી વધુ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવી વિદ્યાર્થીઓ પોતાની કારકિર્દી ઘડી શકે છે.
બી.એ.ઓ.યુ.માં પ્રવેશ મેળવનાર વિધાર્થીઓની પરીક્ષા ફોર્મ ફી લેવામાં આવતી નથી.વિધાર્થીઓ માટે ઘરબેઠાં મટીરીયલ્સ ઉપલબ્ધ થવા ઉપરાંત ઓનલાઈન સ્ટડી મટીરીયલ્સ તેમજ વિડિયો લેકચર પણ વેબસાઈટ પરથી પ્રાપ્ત થઈ શકશે. નવા પ્રવેશ માટે હાલમાં ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા શરુ છે.આ ઉપરાંત જે વિધાર્થીઓનો અન્ય કોઈપણ યુનિવર્સીટીમાંથી કોઈપણ વર્ષમાં અભ્યાસ અધવચ્ચે છૂટી ગયો હોય તેમના માટે પણ ડૉ.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સીટીના દ્વાર ખુલ્લા છે.
રાજ્યની આ એકમાત્ર યુનિવર્સીટી સ્નાતક,અનુસ્નાતક કક્ષાએ વિધાર્થીઓનો અભ્યાસ પુર્ણ કરવાની સોનેરી તક પૂરી પાડી રહી છે. ક્રેડીટ ટ્રાન્સફર પોલીસી અંતર્ગત અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવનાર વિધાથીઓને અન્ય વિધાર્થીની માફક જ મટીરીયલ્સ પોસ્ટ દ્વારા ઘરેબેઠા પહોંચતાં કરવામાં આવશે. પ્રવેશ કાર્યવાહી ઓફલાઈન હોય આ અંગેની વધુ જાણકારી માટે ભાવનગર પ્રાદેશિક કેન્દ્ર, પ્રિન્સીપાલ બંગલો,હોકી ગ્રાઉન્ડ સામે, શામળદાસ કોલેજ પાસે,મહાત્મા ગાંધી કેમ્પસ, એમ.કે.બી.યુ ખાતે સંપર્ક કરવા જણાવાયું છે.