Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

બજરંગદાસ બાપાની ૪૬મી પુણ્યતિથિની બુધવારે બગદાણામાં થશે ભવ્ય ઉજવણી

સવારે મંગળા આરતી, ધ્વજા રોહણ, ગુરૂપૂજન તેમજ નગરયાત્રાનું આયોજન : રાજ્યભરમાંથી લાખો ભાવિકો ઉમટી પડશે, તૈયારીઓને આખરી ઓપ

aaspassdaily by aaspassdaily
2023-01-09 14:14:51
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

લાખો આસ્થાળુંજનોના શ્રદ્ધાના કેન્દ્ર સમાન સદગુરુદેવ બજરંગદાસ બાપાના ધામ બગદાણા ખાતે બાપાની ૪૬ની પુણ્યતિથિ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવાની તડામાર તૈયારીઓ થઈ રહી છે. પ્રતિ વર્ષની જેમ પોષ વદી ચોથના રોજ પૂજ્ય બજરંગદાસ બાપાની પુણ્યતિથિ બડે ધામધૂમથી ઉજવવામાં આવે છે. જેના ભાગરૂપે તા.૧૧ને બુધવારના રોજ ૪૬મી પુણ્યતિથિ મહોત્સવ ઉજવવાનું ભવ્ય આયોજન થયું છે.
ગુરુ આશ્રમથી આ દિવસના ઘોષિત થયેલા કાર્યક્રમ મુજબ વહેલી સવારથી ધાર્મિક વિધિ સાથેના કાર્યક્રમો શરૂ થશે. જેમાં મંગળા આરતી સવારે ૫ થી ૫ઃ૩૦ કલાકે, ધ્વજા પૂજન સવારે ૭ઃ૩૦ થી ૮ઃ૧૫ કલાકે, ધ્વજા રોહણ સવારે ૮ઃ૧૫ થી ૮ઃ૩૦ કલાક તેમજ મહિમાપૂર્ણ ગુરુપૂજન સવારે ૮ઃ૩૦ થી ૯ઃ૩૦ કલાકે, રાજભોગ આરતી સવારે ૯ઃ૩૦ કલાકે તેમજ પૂજ્ય બાપાની રંગદર્શી નગરયાત્રા સવારે ૧૦ કલાકે શરૂ થઈને આખા બગદાણા ગામમાં ફરશે. તેમજ બાદમાં પ્રસાદ-ભોજન વિતરણ સવારના ૧૦ કલાકથી સતત શરૂ રહેશે.
પૂજ્ય બાપાની આ પુણ્યતિથિ મહોત્સવમાં મોટી સંખ્યામાં માનવ સમુદાય ઉપસ્થિત રહેવાનો હોય અહીં સર્વ ટ્રસ્ટી મંડળની દેખરેખ હેઠળ તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે, દર્શન વિભાગ, ચા-પાણી, ગોપાલગ્રામ ભોજનાલય (ભાઈઓ માટે), નવા ભોજનાલય (બહેનો માટે) તેમજ પાર્કિંગ, સુરક્ષા વગેરે વિભાગોમાં સેકડો સ્વયંસેવક ભાઈઓ બહેનો સેવા બજાવશે. દર વર્ષની જેમ વાહન પાર્કિંગ માટે પણ અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે. મહુવા તરફથી આવતા વાહનો માટે પોલીસ સ્ટેશનની બાજુમાં તેમજ તળાજા પાલીતાણા તરફથી આવતા વાહનો માટે ભગુડા ચોકડી બાજુ વાહન પાર્કિંગની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.

એસ.ટી.ની સ્પેશ્યલ બસો દોડાવાશે
એસટી વિભાગ દ્વારા પણ ખાસ બસો દોડાવવામાં આવનાર છે. એસટી વિભાગ દ્વારા જરૂરિયાત મુજબ ભાવનગર તેમજ તળાજા,પાલીતાણા, મહુવા વગેરે ડેપોમાંથી ખાસ એસટી બસો આ માટે દોડાવવામાં આવશે.

૧૦૮ને સ્ટેન્ડ બાય રખાશે
ઉત્સવ દરમિયાન આકસ્મિક સંજાેગો માટે ૧૦૮ એમ્બ્યુલન્સ તેમજ એક ફાયર ફાઈટર પણ સ્ટેન્ડ બાય રહેશે. આ ઉપરાંત અહીં રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બેલમપર અને બગદાણા સામૂહિક આરોગ્ય કેન્દ્ર દ્વારા પ્રાથમિક સારવારની વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવશે.

પોલીસ દ્વારા રખાશે કડક બંદોબસ્ત
પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત બંદોબસ્તના ભાગરૂપે એક પીઆઇ, ૬ પીએસઆઇ, ૧૫૦ કોન્સ્ટેબલ તેમજ ૧૦૦ હોમગાર્ડ દ્વારા સુરક્ષા બંદોબસ્ત રહેશે. પૂ બાપાની પુણ્યતિથિ મહોત્સવ નિમિત્તે આ દિવસે ગુરુ આશ્રમ બગદાણા દ્વારા દર્શનાર્થે આવતા વિકલાંગ તેમજ અશક્ત લોકો માટે બંને પાર્કિંગથી ગુરુ આશ્રમ સુધી પહોંચવા માટે ખાસ વાહનોની વ્યવસ્થા કરવામાં આવી છે. જેનો લાભ લિકલાંગ, અશક્ત લઈ શકે છે.

Tags: bagdanaBajarangdas Bapapunyatithi
Previous Post

૧ લાખ પતંગ વિતરણ કરી જરૂરિયાતમંદ બાળકોની મુસ્કાન બનતા ધારાસભ્ય જીતુ વાઘાણી

Next Post

ઘોઘાસર્કલમાં તબીબનો બંગલો ખરીદી તેની જગ્યાએ વિધર્મીઓ માટે ફ્લેટ બનાવવાની પેરવી ચાલતી હોવાનો મચેલો ઉહાપોહ

aaspassdaily

aaspassdaily

Related News

ઉત્તરાખંડમાં ભારે વરસાદથી બદ્રીનાથ નેશનલ હાઇવે બંધ
તાજા સમાચાર

ઉત્તરાખંડમાં ભારે વરસાદથી બદ્રીનાથ નેશનલ હાઇવે બંધ

June 28, 2025
રોયલ ટાઇગર ગેંગના સૂત્રધાર પ્રિન્સને CBIએ ઝડપી લીધો
તાજા સમાચાર

રોયલ ટાઇગર ગેંગના સૂત્રધાર પ્રિન્સને CBIએ ઝડપી લીધો

June 28, 2025
રાજ્યમાં 21 નવેમ્બરથી 31 જાન્યુઆરી સુધીમાં 156 ગેરકાયદે ધાર્મિક ઇમારતોને દૂર
તાજા સમાચાર

આસારામના વચગાળાના જામીન સાતમી જુલાઈ સુધી લંબાવ્યા

June 28, 2025
Next Post
ઘોઘાસર્કલમાં તબીબનો બંગલો ખરીદી તેની જગ્યાએ વિધર્મીઓ માટે ફ્લેટ બનાવવાની પેરવી ચાલતી હોવાનો મચેલો ઉહાપોહ

ઘોઘાસર્કલમાં તબીબનો બંગલો ખરીદી તેની જગ્યાએ વિધર્મીઓ માટે ફ્લેટ બનાવવાની પેરવી ચાલતી હોવાનો મચેલો ઉહાપોહ

ઇન્ટરનેશનલ ફ્લાઈટમાં બોમ્બની અફવાને પગલે ફ્લાઈટનું જામનગરમાં ઇમરજન્સી લેન્ડિગ

ઇન્ટરનેશનલ ફ્લાઈટમાં બોમ્બની અફવાને પગલે ફ્લાઈટનું જામનગરમાં ઇમરજન્સી લેન્ડિગ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.