ગરીબોની કસ્તુરી ગણાતી એવી લાલ ડુંગળીની સિઝન શરૂ થઈ ગયાને એક મહિના જેટલો સમય થઈ ગયો છે અને ભાવનગર ઉપરાંત તળાજા, મહુવા સહિતના માર્કેટિંગ યાર્ડમાં મબલખ આવક થવા પામી છે. ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા બે દિવસમાં એક લાખથી વધુ થેલા લાલ ડુંગળીની આવક થઈ છે જાેકે ખેડૂતોને ૧૦૦ રૂપિયાથી માંડીને ૩૫૦ સુધીનો ભાવ મળી રહ્યો છે.
રાજ્યભરમાં ડુંગળીના ઉત્પાદનમાં ભાવનગર જીલ્લો મોખરે છે ઉત્પાદનના મોટાભાગનો હિસ્સો ભાવનગર જિલ્લાના તળાજા, મહુવા, રાજુલા, પાલીતાણા સહિતના પંથકમાં થાય છે ડુંગળીની સિઝન શરૂ થઈ ગયાને એક મહિના જેટલો સમય થઈ ગયો છે. અને ભાવનગર ઉપરાંત તમામ માર્કેટીંગ યાર્ડમાં ડુંગળી વેચાવવા માટે મબલખ આવક થઈ રહી છે. ખેડૂતો પોતાનો માલ વેચવા માટે ભાવનગર, મહુવા તેમજ તળાજા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના બોરા ઠાલવી રહ્યા છે જાેકે ખેડૂતોને હાલ ભાવ ઓછા મળી રહ્યા છે ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા બે દિવસમાં એક લાખ પાંચ હજારથી વધુ લાલ ડુંગળીના બોરાની આવક થઈ છે જેની સામે ખેડૂતોને ?૧૦૦ થી ૩૫૦ સુધીનો એક મણે ભાવ મળી રહ્યો છે જે દર વર્ષ કરતા ઓછો હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે ઓછા ભાવના કારણે ઉત્પાદન ખર્ચ પણ માથે પડતો હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે.
સમગ્ર ગુજરાત રાજ્ય અને ઉત્તર ભારત તેમજ વિદેશમાં પણ ભાવનગરની ડુંગળીની નિકાસ થાય છે એમાં ખેડૂતો કમાણી કરતા હોય છે પરંતુ હાલ ટ્રેનના રેક ઓછા મળવાના કારણે નિકાસ ઓછી થઈ રહી છે. આ ઉપરાંત વેપારીઓ કોલ્ડ સ્ટોરેજમાં પણ પોતાનો માલ રાખતા હોય છે હાલમાં ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં જ્યાં જુઓ ત્યાં ડુંગળીના બોરા ખડકાયેલા નજરે પડી રહ્યા છે અને ભરપૂર પ્રમાણમાં આવક થઈ રહી છે.
ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીનો મોટા પ્રમાણમાં જથ્થો ખડકાયેલો હોય અને આગામી મકરસંક્રાંતિના તહેવાર નિમિત્તે રજા આવતી હોય ખેડૂતોને આવતીકાલથી બે દિવસ માટે ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં નવી ડુંગળીની આવક લાવવા પર મનાઈ ફરમાવવામાં આવી છે રવિવારથી ખેડૂતો નવી ડુંગળી લાવી શકશે તેમ યાર્ડના સેક્રેટરી દ્વારા જણાવાયું છે