Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

રો-રોએ શ્વાસ અધ્ધર કર્યા

વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેકટ રોરો ફેરી સર્વિસમાં વધુ એક વખત ધાંધીયા બહાર આવ્યા, મધ દરિયે જહાજ બે વખત બંધ પડતા થઈ ધક્કાગાડી- લોકો ચાર કલાક ગોંધયેલા રહ્યા

aaspassdaily by aaspassdaily
2023-02-02 11:32:56
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter
ભાવનગરના ઘોઘાથી હજીરા વચ્ચે રો રો ફેરી સર્વિસ શરૂ કરી સૌરાષ્ટ્રને દક્ષિણ ગુજરાત સાથે જોડી વિકાસનો નવો આયામ વડાપ્રધાન મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સર્જાયો છે, પરંતુ ફેરી સંચાલક કંપનીની બેદરકારીને આ ચમકતા પ્રોજેક્ટને ઝાંખપ લગાવાનું કામ અનેકવાર કર્યું છે. અગાઉ દિવસો સુધી ફેરી બંધ રાખી મનમાની કરાઈ હતી અને ફેરી બંધ હોવાના અલગ અલગ ખોટા કારણો આપેલ. ફેરી સર્વિસ વારંવાર મોડી થવી તે જાણે પરંપરા બની હતી. તેવામાં મધદરિયે વધુ એક વખત જહાજ ઉભુ રહી જતા યાત્રિકોના શ્વાસ અધ્ધર કરતી વધુ એક ઘટના બનવા પામેલ.
હજીરાથી ઘોઘા આવી રહેલ રો-રો ફેરીનું વોએજ સિમ્ફની જહાજ ફરી એકવાર મધ દરિયે બંધ પડ્યું હોવાની ઘટના સામે આવી છે, વડાપ્રધાન મોદીનો આ ડ્રીમ પ્રોજેક્ટ રહ્યો છે પરંતુ ફેરી સંચાલક કંપની યાત્રીઓની સુવિધા અંગે ગંભીર નથી, વર્ષો જૂના ભંગાર જહાજ સેવામાં લગાવી દેવાયાનો ગણગણાટ પહેલેથી જ છે તેવામાં મધદરિયે જહાજ ઉભુ રહી જવાની આ ઘટના એ તે વાત જાણે પુરવાર કરી છે, ઉલ્લેખનીય છે કે, આ પ્રકારની આ ઘટના પહેલી નથી.!
આ વખતેની ઘટનામાં મળતી વિગતો મુજબ ઘોઘા-હજીરા રો-રો ફેરી સર્વિસનું વોએજ સિમ્ફની જહાજ મધ દરિયે ફરી એકવાર બંધ પડ્યું હતું,સુરતના હજીરા બંદરેથી મંગળવારે સાંજના પાંચ કલાકે ઉપડેલું જહાજ મધ દરિયે બંધ પડયુ  હતું,ત્યારે બંધ પડેલ વોએજ સિમ્ફની જહાજને ટગ દ્વારા ટોઈંગ કરીને ઘોઘા લાવવામાં આવ્યું હતું, હજીરાથી સાંજે ૫ કલાકે ઉપડેલું જહાજ રાતે ૧૨ કલાકે ઘોઘા ખાતે પહોંચ્યું,જેના કારણે મુસાફરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
લગ્ન પ્રસંગ અને બીજા કામ સબબ નીકળેલ યાત્રીઓ મધદરિયે મુસાફરીના સમય ઉપરાંત વધુ ચાર કલાક ગોંધાયેલા રહ્યા હતા, આ કારણે અનેક લોકોના શિડ્યુલ વિખેરાઈ ગયા હતા. તો માલ વાહક વાહનો પણ તેના નિયત સ્થળે સમયસર પહોંચી શકેલ નહિ. વારંવાર બનતા આવા બનાવો અંગે પગલા ભરવા લોકમાંગ પ્રબળ બની છે.
Tags: bhavnagarghoghaRo-Ro ferry service
Previous Post

વંદે ભારત બાદ હવે વંદે મેટ્રો ટ્રેન : રેલવે મંત્રીની જાહેરાત

Next Post

તલગાજરડા ખાતે ઉજવાયો બાઉલ ઉત્સવ

aaspassdaily

aaspassdaily

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
તલગાજરડા ખાતે ઉજવાયો બાઉલ ઉત્સવ

તલગાજરડા ખાતે ઉજવાયો બાઉલ ઉત્સવ

આવાસ યોજનાની અન્ય સાઈટો પણ તંત્રના રડારમાં

આવાસ યોજનાની અન્ય સાઈટો પણ તંત્રના રડારમાં

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.