ભાવનગર શહેરમાં બીજી વખત સવા બે લાખ, પંચમુખી રૂદ્રાક્ષના પારાનું ૨૫ ફૂટ ઉંચું મહા શિવલિંગનું નિર્માણ કરાયું છે.
બ્રહ્મ સેવા સંઘ, ભાવનગરના ઉપક્રમે ગુરુ પ્રેરણા, ગુરુ આજ્ઞા, ગુરુ પથ દર્શનથી સંસ્થાના પ્રણેતા શિવકુમાર એસ રાવલ દ્વારા આગામી મહાશિવરાત્રી પર્વ નિમિત્તે શહેરની મધ્યમા આવેલ જવાહર મેદાનમાં પાંચમુખી રુદ્રાક્ષના સવા બે લાખ પારા પારાથી ૨૫ ફૂટ ઉંચું “મહા શિવલિંગ” બનાવાયું છે. જે ભાવનગરમાં બીજી વખત આયોજન કરેલ છે.
ગુજરાતના સુપ્રસિદ્ધ સંતો, મહંતો, રાજકીય, સામાજિક, શૈક્ષણિક આગેવાનોની ઉપસ્થિતિમાં ગત.તા.6 ફેબુઆરીના સાંજની મહા આરતીથી આ શિવલિંગ લોકોના દર્શનાર્થે ખુલ્લું મૂકવામાં આવ્યું છે.
શિવરાત્રી પર્વની ઉજવણી અન્વયે શિવલિંગ ખાતે ધાર્મિક તેમજ સાંસ્કૃતિક આયોજન કરવામાં આવેલ છે જેનો શહેરના નગરજનોને બહોળા પ્રમાણમાં દર્શનાર્થી ભાવિક ભક્તો આ ભાગ લઈ શકે છે. જેમાં આ વર્ષે વિશેષ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં (૧) શ્લોક ગાન સ્પર્ધા (૨) આરતી સુશોભન સ્પર્ધા (૩) રંગોળી સ્પર્ધા (૪) પેઈન્ટિંગ સ્પર્ધા (૫) કાવ્ય સ્પર્ધા (૬) ધાર્મિક ગાયન-વાદન અને ધાર્મિક ડાન્સ (૭) ફોટોગ્રાફી (૮) વેસ્ટ માંથી બેસ્ટ જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.