Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

ભાવનગર ગદ્યસભાના ૩૨મા જન્મદિવસ નિમિત્તે યોજાયો અનોખો કાર્યક્રમ ‘વાર્તાપર્વ’

ભાવનગરમાં ૧૯૯૨થી નિયમિતપણે યોજાઇ રહી છે ગદ્યસભા

aaspassdaily by aaspassdaily
2023-02-14 14:09:30
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ભાવનગર ગદ્યસભા સર્જકોની સિસૃક્ષા- સર્જન કરવાની ઇચ્છાને સંકોરવા દર ગુરુવારે સાંજે ૬ઃ૦૦ કલાકે ગુજરાતી ભાષા ભવન, મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી ખાતે મળે છે. મુ. ડૉ. ગંભીરસિંહજી ગોહિલના અધ્યક્ષપણા હેઠળ ઇ.સ. ૧૯૯૨થી આજદિન સુધી સતત એકત્રીશ વર્ષથી ગદ્યસભા નિયમિતપણે યોજાઇ રહી છે.
સાહિત્યના ગદ્યસ્વરૂપની કાર્યશાળા સમાન ભાવનગર ગદ્યસભાના બત્રીસમા સ્થાપના દિવસની અનોખી ઉજવણી તાજેતરમાં ‘વાર્તાપર્વ’ નામે અનોખા કાર્યક્રમ થકી ઊજવાઇ ગઇ.
ઝવેરચંદ મેઘાણી મીની ઑડિટોરિયમ હૉલ, સરદારનગર, ભાવનગર ખાતે યોજાયેલ આ વિશિષ્ટ કાર્યક્રમ સૌના માટે ખુલ્લો હતો. જેમાં ભાવનગરની સાહિત્યપ્રિય જનતાએ બહોળી સંખ્યામાં હાજર રહીને ગદ્યસર્જકોની કૃતિઓને મન ભરીને માણેલ. વાર્તા તથા ગદ્યસ્વરૂપમાં લખાતાં સાહિત્યનું મહત્વ જળવાઈ રહે તેના માટે ભાવનગરની ગદ્યસભા દ્વારા ‘વાર્તાપર્વ’નું અનોખું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. પ્રસ્તુત ‘વાર્તાપર્વ’ નિમિત્તે ગદ્યસભાના મંત્રી નટવર વ્યાસે ભૂમિકા બાંધીને ગદ્યસભાની પ્રવૃત્તિઓ વિશે વિસ્તારથી વાત કહી હતી. મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી, ભાવનગરના ગુજરાતી ભાષા ભવનના અધ્યક્ષ ડૉ. મહેન્દ્રસિંહ પરમારે ગદ્યસભામાં આવતા સર્જકો – નવોદિતોની સર્જન પ્રક્રિયા વિશે – લેખકોના પીંડ ઘડતર માટેની આવશ્યક બાબતો પર ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી.
પ્રસ્તુત ‘વાર્તાપર્વ’માં ગદ્યસભાના લેખકોની કૃતિઓનું વાચિકમ્‌ અને મંચન રાખવામાં આવેલ. જેની પ્રસ્તુતિ પણ ગદ્યસભાના જ સર્જકોએ કરી હતી. સમગ્ર કાર્યક્રમ માટે ડૉ. મહેન્દ્રસિંહ પરમાર અને નટવર વ્યાસે માર્ગદર્શન આપ્યું હતું. પ્રસ્તુત કાર્યક્રમનું આયોજન અને સંચાલન ગદ્યસંયોજક અને મંત્રી અજય ઓઝા તથા પ્રવીણ સરવૈયાએ સફળતાપૂર્વક સંભાળેલ. આ ‘વાર્તાપર્વ’ને માણવા ભાવનગર કલાનગરીના લોકો ઉપરાંત વડોદરા, અમદાવાદ, અમરેલી, પાલિતાણાથી પણ ગદ્યપ્રેમીઓ આવેલ અને કાર્યક્રમને મન ભરીને માણેલ.

Tags: bhavnagargadhyasabhavartaparv
Previous Post

વણિક રાઠોડ પરિવાર દ્વારા સંઘજીદાદાનો યોજાયો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

Next Post

મહુવા પાસે ટ્રક સળગી ઉઠ્યો, ડ્રાઇવર કુદી પડતા બચાવ

aaspassdaily

aaspassdaily

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
મહુવા પાસે ટ્રક સળગી ઉઠ્યો, ડ્રાઇવર કુદી પડતા બચાવ

મહુવા પાસે ટ્રક સળગી ઉઠ્યો, ડ્રાઇવર કુદી પડતા બચાવ

એક તરફી પ્રેમમાં યુવતી ઉપર છરી વડે હુમલો કરનાર ‘સેન્ડી’ને ૧૦ વર્ષની કેદ

પત્નીની ગળે ટૂંપો દઈ હત્યા કરનાર પતિને આજીવન કેદ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.