ભારતની મહિલા ટી20 ટીમ વર્લ્ડના સેમિફાઇનલમાં પહોંચી ગઈ છે ત્યારે દેશના લોકોને આશા બંધાઈ છે કે દેશની દીકરીઓ વર્લ્ડ કપ લઈને જ આવશે. ભારતની મહિલા ક્રિકેટ ટીમ છેલ્લા ઘણા સમયથી જોરદાર પ્રદર્શન કરી રહી છે અને ભારતનું નામ રોશન કરી રહી છે ત્યારે વુમન્સ ટી20 વર્લ્ડની સેમીફાઇનલમાં ટીમ ઈન્ડિયાએ જગ્યા બનાવી લીધી છે. 20 ફેબ્રુઆરીએ થયેલા મુકાબલામાં ભારતની ટીમે આયર્લેન્ડને પાંચ રનથી મહાત આપી.
ટીમ ઈન્ડિયાએ આયર્લેન્ડને જીત માટે 156 રનનો ટાર્ગેટ આપ્યો હતોઈ. પણ 8.2 ઓવર બાદ જ વરસાદનું વિઘ્ન નડ્યું અને તે સમયે આયર્લેન્ડે 54 રન બનાવ્યા હતા અને આમ ડકવર્થના નિયમ અનુસાર ભારતીય ટીમને વિજેટ ઘોષિત કરવામાં આવી.