Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

વારસાઈ જમીન અંગે ખોટો પેઢી આંબો બનાવતા તત્કાલીન તલાટી મંત્રી, સરપંચ સહિત ૧૫ સામે એફઆઇઆર

ભુતેશ્વરની ખેતીલાયક જમીનના વર્ષો જુના વિવાદમાં ઘોઘા કોર્ટના આદેશ બાદ પોલીસે ૧૫ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો

aaspassdaily by aaspassdaily
2023-02-23 14:15:31
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ભાવનગરના ભૂતેશ્વર ગામના ઇસમે ખોટો પેઢી આંબો બનાવી ખોટું સોગંદનામુ કરી તેનો સાચા તરીકે ઉપયોગ કરી છળકપટ કરી પોતાનું નામ ઠાકરદ્વારાના વહીવટદાર તરીકે દાખલ કરાવ્યું હતું અને આ પ્રક્રિયામાં તલાટી, સરપંચ સહિતના અન્ય ૧૪ વ્યક્તિઓએ પણ પેઢીનામુ ખોટું હોવાનું જાણવા છતાં તેમાં સહી કરી હતી.આ કેસમાં ઘોઘાની કોર્ટના આદેશના પગલે ઘોઘા પોલીસે ૧૫ ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ઘોઘા તાલુકાના તગડી ગામમાં રહેતા જગદીશકુમાર આનંદરામ ગોંડલીયાના માતાના પરદાદા કાળીદાસ જીવણદાસ દેસાણીને ભાવનગરના મહારાજા ભાવસિંહજી ગોહિલએ ભૂતેશ્વર ગામમાં ખેડવા લાયક જમીન રેવન્યુ સર્વે નં. પ પૈકી એકની ૧ઃ વ આપી હતી. આ જમીનનો વહીવટ તેમના વારસદારો કરતા આવ્યા હતા. દરમિયાન સમય ૧૯૮૧ માં એપ્રિલ માસના સમયગાળા દરમિયાન વસંતદાસ તુલસીદાસ દુધરેજીયા રહે. પડવા તા. ઘોઘાવાળા એ દાન વાળી જમીનમાં પોતાનું નામ રેવન્યુ રેકોર્ડમાં દાખલ કરી ખેડાણ લાયક જમીન પચાવી પાડવાના ઇરાદે પોતાનું સાચુ નામ વસનદાસ તુલસીદાસ દુધરેજીયા હોવા છતાં ઇરાદાપૂર્વક પોતાનું નામ બદલી વસનદાસ રામકૃષ્ણ દેસાણી તરીકે ધારણ કરી તેની સાથે દુલાભાઈ લવજીભાઈ કંટારીયા, વાઘાભાઈ કાનાભાઈ તેમજ જેરામભાઈ કાળાભાઈ ઉપરાંત તે સમયના તલાટી કમ મંત્રી એ ગુનાહિત કાવતરું રચી એકબીજાની મદદગારી કરી બોગસ અને બનાવટી પેઢી આંબો તૈયાર કરી રામકૃષ્ણ ગોવિંદરામ દેસાણીના પુત્ર હોવા અંગેનો આંબો બનાવી તમામે સાક્ષી તરીકે તેમાં સહી કરી આંબા પેઢી ના આધારે જમીનમાં રેવન્યુ રેકર્ડમાં ફેરફાર તેમજ વારસાઈ એન્ટ્રી કરાવી પોતાનું નામ દાખલ કરાવ્યું હતું.
આ અંગે જગદીશ આનંદરામ ગોંડલીયાએ ઘોઘા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવા તજવીજ કરી હતી, પરંતુ ઘોઘા પોલીસે ફરિયાદ નોંધવાનો ઇનકાર કરી દેતા તેમણે ઘોઘાની જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં તાત્કાલિક એફ.આઇ.આર નોંધવા માટે અરજી કરતા ઘોઘા કોટે આ પ્રકરણમાં સંડોવાયેલા વિરુદ્ધ ફરિયાદ નોંધી કાર્યવાહી કરવાનો આદેશ કર્યો હતો, તેમજ ૯૦ દિવસમાં કોર્ટમાં રિપોર્ટ રજૂ કરવા આદેશ કર્યો હતો.
ઘોઘા કોર્ટના આદેશના પગલે ઘોઘા પોલીસે જગદીશ કુમાર આનંદરામ ગોંડલીયા રહે. તગડી વાળાની ફરિયાદ લઈ વસંતદાસ તુલસીદાસ દુધરેજીયા, દુલાભાઈ લવજીભાઈ કંટારીયા (પૂર્વ સરપંચ ભૂતેશ્વર) વાઘાભાઈ કાનાભાઈ, જેરામભાઈ કાળાભાઈ, વર્ષ ૧૯૮૧ ના ભૂતેશ્વરના તલાટી કમ મંત્રી તેમજ તે જ સમયના નાયબ મામલતદાર, ભાવ. ગ્રામ્ય, જદુરામ વસંતદાસ દુધરેજીયા, વર્ષ ૨૦૦૬ના તલાટી કમ મંત્રી, ભરતભાઈ એન.મકવાણા, કમુબેન વસંતદાસ દુધરેજીયા, ઘનશ્યામ વસંતદાસ દુધરેજીયા, ર્નિમળદાસ વસનદાસ દુધરેજીયા, ગીતાબેન વસંતદાસ દુધરેજીયા, રોહિત જદુરામ દુધરેજીયા તેમ જ વર્ષ ૨૦૧૪-૧૫ ના સમયગાળાના ઘોઘા પીજીવીસીએલના નાયબ ઈજનેર ઉપરાંત પોલીસ તપાસમાં જે ખૂલે તે શખ્સો વિરુદ્ધ આઈપીસી કલમ ૪૦૬, ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૪૭૪, ૩૪, ૧૧૪ અને ૧૨૦ બી મુજબ ગુનો દાખલ કર્યો હતો.

Tags: bhavnagarbhuteshvarfir against 15 personghogha
Previous Post

ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો પ્રારંભ: પ્રથમ દિવસે જ પેપરલીક વિધેયક

Next Post

જમીન અંગે ચાલતા ઝઘડાના સમાધાન માટે સમજાવવા ગયેલ યુવકની હત્યા

aaspassdaily

aaspassdaily

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
જમીન અંગે ચાલતા ઝઘડાના સમાધાન માટે સમજાવવા ગયેલ યુવકની હત્યા

જમીન અંગે ચાલતા ઝઘડાના સમાધાન માટે સમજાવવા ગયેલ યુવકની હત્યા

ભાવનગરમાં રખડતા ઢોર મામલે અસરકારક કામગીરી માટે તંત્ર એક્શન મોડમાં

મહાપાલિકાએ ડબ્બે પુરેલ ઢોરની સંભાળ લેશે ખાદી ગ્રામોદ્યોગ સંઘ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.