ભાવનગર શહેર અને આજુબાજુના ગામડાઓના કોઈ પણ જ્ઞાતિના પરિવારો માટે સરવૈયા પરિવાર હસ્તે વિનોદભાઈ સરવૈયાના સહકારથી સમસ્ત વણિક સમાજ દ્વારા તારીખ ૨૭ ફેબ્રુઆરી સોમવારે ઘોઘા સર્કલ અખાડામાં સવારે ૯.૩૦ થી ૧૨ સુધી વિનામૂલ્યે આંખની તપાસ થશે. આ કેમ્પમાં ઓપરેશનને લાયક તમામ દર્દીઓને રાજકોટની રણછોડદાસજી હોસ્પીટલના નિષ્ણાંત ડોકટરો દ્વારા આધુનિક ફેકો પધ્ધતિથી મોતીયાના ઓપરેશન કરી નેત્રમણિ બેસારી આપવામાં આવશે. જેમાં ચા-પાણી, નાસ્તો, ભોજન, દવા, ટીપા, વિગેરેનો તમામ ખર્ચ આયોજકો દ્વારા કરવામાં આવનાર છે, દર્દીઓએ કોઈ પણ જાતનો ખર્ચ કરવાનો રહેતો નથી. દર્દીઓના નામોની નોંધણી માટે ઘોઘા સર્કલ અખાડામા સતીશભાઈ વૈષ્ણવનો સંપર્ક સાધવા. જેનો (મોબાઈલ નંબર ૯૪૨૮૬ ૪૧૬૪૧) છે. તેમજ કેમ્પના દિવસે પણ નામોની નોધણી કરવામાં આવશે.