વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નાનાભાઈ પ્રહલાદ મોદીને ચેન્નાઈની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પ્રાથમિક માહિતી મુજબ, પ્રહલાદ મોદીને કિડની સંબંધિત સમસ્યાને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 5 ભાઈ-બહેન છે જેમાં પ્રહલાદ મોદી ચોથા સ્થાને આવે છે. પ્રહલાદ મોદી અમદાવાદમાં કરિયાણાની દુકાન ચલાવે છે, સાથે જ તેમનો શહેરમાં ટાયરનો શોરૂમ પણ છે.