નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ભાવનગરના માતા કે પિતા અથવા માતા-પિતા બંને ન હોય તેવા તથા દિવ્યાંગ 1300 બાળકોને સતત ૧૯ વર્ષથી આ પ્રવૃત્તિ કરતા નિવૃત્ત શિક્ષક કપિલભાઈ વ્યાસ પરિવાર તરફથી આગામી હોળી ધૂળેટીના તહેવાર નિમિત્તે ધાણી દાળિયાનું વિતરણ મ્યુ. કમિશનર ઉપાધ્યાયના હસ્તે શાસનાધિકારી મુંજાલની વિશેષ ઉપસ્થિતિમાં કમિશનર કચેરી ખાતે પાંચ બાળકોને પ્રતિકાત્મક વિતરણ કરાયું હતું.