નવી દિલ્હી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચારધામ યાત્રીઓને મોટી ભેટ આપી છે. મોદી સરકાર ચારધાન જતા શ્રદ્ધાળુઓ માટે 3 સ્તરીય સ્વાસ્થ્ય સુરક્ષા ઉપલબ્ધ કરાવશે. તેમાં લાઈફ સપોર્ટ અને ઈમરજન્સી પરિવહન માટે ચાર ધામ રાજમાર્ગ પર એમ્બ્યુલન્સ ઉપલબ્ધ કરાવામાં આવશે. યાત્રાના સમય દરમિયાન સ્વાસ્થ્ય સેવા આપવા માટે પીજી સ્ટૂડેન્ટ્સને તૈનાત કરવામાં આવશે. સાથે જ એઈમ્સ ઋષિકેશ, દૂન અને શ્રીનગર મેડિકલ કોલેજોથી રેફરલ સહાયતાની સાથે તીર્થયાત્રીઓ માટે ઈમરજન્સી દવાઓ ડ્રોન દ્વારા આપવામાં આવશે.
કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં દેશના ચાર ધામા યાત્રા પર જનારા તીર્થયાત્રીઓ માટે એક મજબૂત સ્વાસ્થ્ય સહાયતા અને ઈમરજન્સી મેનેજમેન્ટ માળખાગત ઢાંચાને તૈયાર કરી રહી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ સોમવારે ઉત્તરાખંડના સ્વાસ્થ્ય મંત્રી ડો. ધન સિંહ રાવત સાથે મુલાકાત બાદ મદદનો ભરોસો આપ્યો હતો. એમ્બ્યુલન્સની વ્યવસ્થા, દવાની સપ્લાઈની સાથે મેડિકલ પ્રોફેશનલની તૈનાતી માટે ચર્ચા થઈ. આ ઉપરાંત યાત્રાના ઊંચા વિસ્તારમાં ઈમરજન્સી દવાઓ સપ્લાઈ કરાવવા માટે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવશે.
હાલમાં જ ઉત્તર પૂર્વી વિસ્તારમાં કોવિડ 19 રસીના પરિવહન માટે ડ્રોનનું સફળતાપૂર્વક ઉપયોગ કર્યો હતો. આવી જ રીતે હવે ડ્રોનથી દવાઓ પણ મોકલવામાં આવશે. હકીકતમાં જોઈએ તો, કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી અને યમુનોત્રી ગઢવાલ હિમાલયમાં 10,000 ફુટથી ઉપર આવેલ છે. હાલમાં જ એઈમ્સ-ઋષિકેસે દવાઓ આપવા અને લેવા માટે ડ્રોન સેવા શરુ કરી છે.