રાજ્યમાં પલટાતા હવામાનને કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. ત્યારે ડૂંગળી અને બટાકા પકવતા ખેડૂતો માટે રાજ્ય સરકારે મહત્ત્વની જાહેરાત કરી છે. ડુંગળી અને બટાકાના ખેડૂતો માટે રાજ્ય સરકારે સહાય જાહેર કરી છે.
રાઘવજી પટેલએ જણાવ્યુ છે કે, ગુજરાત રાજ્યમાં બજારમાં લાલ ડુંગળીના ભાવ ઓછા જણાય છે. આ પરિસ્થિતિની સંદર્ભે એક કિલોએ રૂપિયા બેની સહાય ખેડૂતને આપવામાં આવશે. ખેડૂત દીઠ વધારેમાં વધારે 500 કટ્ટા માટેની સહાય આપવામાં આવશે. 70 કરોડની સહાય રાજ્ય સરકાર ચુકવણી કરશે. આ ઉપરાંત તેમણે જણાવ્યુ કે, સરકાર ટ્રાન્સ્પોર્ટેશનના ખર્ચ માટે 20 કરોડ ફાળવશે. રાજ્ય અને દેશ બહાર ડુંગળીના નિકાસ માટે 20 કરોડના પેકેજની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત મંત્રીએ જણાવ્યુ કે, બટાકા અન્ય રાજ્યમાં મોકલવામાં સહાય કરવામાં આવશે. એક ખેડૂતને એક કટ્ટાના 50 રૂપિયા આપવામાં આવશે. રાજ્ય સરકાર 600 કટ્ટા સુધી સહાય કરાશે.