યુવરાજસિંહ જાડેજાને હવે કોંગ્રેસ પ્રદેખ પ્રમુખ જગદીશ ઠાકોરનું સમર્થન મળ્યું છે. જગદીશ ઠાકોરે કહ્યું કે, યુવરાજસિંહને રૂપિયા લેવા હોત તો પહેલા જ લઈ લીધા હોત. આ સાથે તેમણે કહ્યું કે, પૂર્વ શિક્ષણ મંત્રી અને અસિત વોરાનું નામ આવ્યું એટલે યુવરાજસિંહ પર ફરિયાદ થઈ. મહત્વનું છે કે, ભાવનગરમાં કથીત તોડકાંડ મામલે યુવરાજસિંહ વિરુદ્ધ ભાવનગર પોલીસે ગુનો દાખલ કરી ધરપકડ કરી છે. વીડિયો, ચેટના સ્ક્રીન શોટના પૂરાવા તેમજ વિવિધ નિવેદનોના આધારે કાર્યવાહી કરાઈ છે.
ભાવનગરમાં યુવરાજસિંહની અટકાયત બાદ જગદીશ ઠાકોરે તેમણે સમર્થન આપ્યું છે. જગદીશ ઠાકોરે કહ્યું છે કે, યુવરાજસિંહને રૂપિયા લેવા હોત તો પહેલા જ લઈ લીધા હોત. યુવરાજસિંહે જે કાગળ આપ્યું તે પોલીસ ચેક નથી કરતી તો તપાસ કેવી રીતે કરી ? તેમણે કહ્યું કે, પોલીસ ભાજપ સામે અવાજ ઉઠાવનારાને દબાવવા માંગે છે પણ આ લડાઈ રોકાશે નહીં. આ સાથે તેમણે ઉમેર્યું કે, તંત્ર 30 વર્ષમાં પેપર ફોડનારાને સજા કેમ ન આપી શક્યું તે મોટો સવાલ છે.
કોંગ્રેસનાં પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર બાદ હવે કોંગ્રેસ નેતા અમિત ચાવડાની પ્રતિક્રિયા સામે આવી છે. તોડકાંડ મામલે કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ કહ્યું કે, રાજ્ય સરકારે પેપર ફોડનારા સામે કાર્યવાહી કરવાની હતી, ડમીકાંડમાં સામેલ ગુનેગારોની ધરપકડ કરવાની જરૂર હતી. જોકે જે લોકો ફરિયાદ કરે તેમની જ ધરપકડ કરવામાં આવે છે. આ સાથે તેમણે સવાલ કર્યા હતા કે, કેમ ભાજપના નેતાઓને પૂછપરછ માટે નથી બોલાવતા?, યુવરાજસિંહ પર FIR થાય તો ભાજપના નેતા સામે કેમ નહીં?. આ સાથે તેમણે ઉમેર્યું કે, નાગરિકોને જાગૃત થઈને આઝાદી માટે લડવાની જરૂર છે.