Pan Aadhaar Linking Last date 30th June: જો તમારું આધાર પેન સાથે લિંક નથી તો સાવધાન થઈ જાવ. કારણ કે સરકારે પેનને આધાર સાથે લિંક કરવાની છેલ્લી તારીખ નક્કી કરી દીધી છે. જો કોઈ કારણોસર તમે છેલ્લી તારીખ સુધી આ મહત્વપૂર્ણ કામ પૂર્ણ કરી શકતા નથી, તો તમારે ભારે દંડ ભરવો પડશે. એટલું જ નહીં તમારું કાર્ડ પણ નિષ્ક્રિય થઈ જશે. જેના પછી કોઈ બેંક તમને લોન નહીં આપે. કારણ કે, તમામ નાણાકીય જરૂરિયાતો માટે પેન કાર્ડ મુખ્ય દસ્તાવેજ છે. એટલા માટે સમયસર પેનને આધાર સાથે લિંક કરાવી લો. જેથી પાછળથી કોઈપણ મુશ્કેલીથી બચી શકાય.
પેન થઈ જશે નિષ્ક્રિય
જો તમે છેલ્લી તારીખ એટલે કે 30મી જૂન સુધીમાં આધારને પેન સાથે લિંક નહીં કરો, તો તમારું પેન નિષ્ક્રિય થઈ જશે. ત્યાર બાદ જ્યાં પણ પેન કાર્ડની જરૂર પડશે તમારું કામ ત્યાં જ અટકી જશે. કારણ કે પેન કાર્ડ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. કોઈપણ નાણાકીય જરૂરિયાતમાં તમારે ફક્ત પેન કાર્ડની જરૂર હોય છે. ખાસ કરીને તમને કોઈપણ બેંકમાંથી લોન નહીં મળે. તેની સાથે મોબાઈલ ફોન, એસી સહિતની ઘણી એવી વસ્તુઓ છે જેનું ફાઇનાન્સ પેનના આધારે કરવામાં આવે છે.
બેંક એકાઉન્ટ નહીં ખોલાવી શકો
જો પેન નિષ્ક્રિય હશે તો કોઈ બેંક તમારું ખાતું ખોલશે નહીં. કારણ કે ખાતું ખોલવા માટે આધાર કરતાં પેન કાર્ડ વધુ જરૂરી દસ્તાવેજ છે. એટલું જ નહીં તમે ITR પણ ફાઇલ કરી શકશો નહીં. કારણ કે રિટર્ન ભરવા માટે પણ પેન કાર્ડ જરૂરી છે. એટલું જ નહીં જો તમારી પાસે પહેલેથી જ એકાઉન્ટ છે, તો 50,000 રૂપિયાથી વધુની લેવડદેવડ શક્ય નહીં હોય. જો તમે PAN ને આધાર સાથે લિંક કરી શકતા નથી, તો પછી તમે incometaxindiaefiling.gov.in પર જઈને સરળ પ્રક્રિયા પછી લિંક કરી શકો છો.