WHOના અનુસાર, કોવિડ-19 વૈશ્વિક સ્વાસ્થ્ય કટોકટી સમાપ્ત થઈ ગઈ છે, જો કે, તેનો અર્થ એ નથી કે, વૈશ્વિક સ્વાસ્થ્ય ખતરા તરીકે કોવિડ-19 ખતમ થઈ ગયું છે. આંકડા અનુસાર, મૃત્યુદર જાન્યુઆરીમાં 2021માં દર અઠવાડીયએ 100,000થી વધારે લોકોને શિખરથી ધીમી થઈ ગઈ છે અને 24 એપ્રિલના અઠવાડીયામાં 3500થી વધારે થઈ ગઈ છે.
WHOએ કહ્યું કે, કોરોનાને પબ્લિક ગ્લોબલ હેલ્થ ઈમરજન્સીને હટાવવાનો નિર્ણય છેલ્લા એક વર્ષમાં થયેલા કોવિડના કેસમાં ઘટાડાને જોતા લેવાયો છે. સ્વાસ્થ્ય સંગઠને કહ્યું કે, કોવિડની એટલી મોટી અસર થઈ કે, સ્કૂલથી લઈને ઓફિસ પણ બંધ રહ્યા. કેટલાય લોકો તણાવ અને ચિંતામાંથી પસાર થયાં. તેનાથી વિશ્વની અર્થવ્યવસ્થા પણ નષ્ટ થઈ ગઈ WHOએ જણાવ્યું કે, 30 જાન્યુઆરી 2020ના રોજ કોવિડને ગ્લોબલ હેલ્થ ઈમરજન્સી ઘોષિત કરી હતી. જો કે, WHOએ સ્પષ્ટ કર્યું છે કોરોના હજૂ પણ ગ્લોબલ હેલ્થ થ્રેટ બનેલ છે.
સમગ્ર દુનિયામાં મોતનું તાંડવ મચાવનાર કોરોના વાયરસને લઈને રાહતના સમાચાર છે. WHOએ કોવિડને લઈને મોટી જાહેરાત કરતા કહ્યું કે, કોવિડ- 19 હવે પબ્લિક ગ્લોબલ હેલ્થ ઈમરજન્સી નથી રહી. તેને લઈને ઈમરજન્સી કમિટીની 15મી બેઠકમાં નિર્ણય લેવાયો છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને શુક્રવારે કહ્યું કે, કોરોના વાયરસ જે દુનિયાભરમાં 6.9 મિલિયનથી વધારે લોકોના જીવ લીધા તે હવે વૈશ્વિક સ્વાસ્થ્ય કટોકટી નથી રહી. WHOએ જણાવ્યું કે, 30 જાન્યુઆરી 2020ના રોજ કોવિડને ગ્લોબલ હેલ્થ ઈમરજન્સી ઘોષિત કરી હતી. જો કે, WHOએ સ્પષ્ટ કર્યું છે કોરોના હજૂ પણ ગ્લોબલ હેલ્થ થ્રેટ બનેલ છે.
WHOના જણાવ્યા અનુસાર, જ્યારે કોરોનાને ગ્લોબલ હેલ્થ ઈમરજન્સી ઘોષિત કરી હતી, તો ચીનમાં 100થી ઓછા કેસ આવ્યા હતા અને કોઈ મોત થયા નહોતા. પણ ત્રણ વર્ષ બાદ આ આંકડો વધીને 70 લાખે પહોંચી ગયો છે. અમને લાગે છે કે, તેમાં લગભગ 2 કરોડ લોકોના જીવ ગયા છે.






