Wednesday, July 9, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર પ્રાદેશિક

પશ્ચિમ રેલવેની પહેલ: એન્જિનની બંને બાજુએ 3-3 કેમેરા લગાવાશે

ડિસેમ્બર સુધીમાં કામ પૂરું થશે: પાવરફૂલ કેમેરા ઓડિયો પણ રેકોર્ડ કરી શકશે

aaspassdaily by aaspassdaily
2023-06-07 10:47:24
in પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ઓરિસ્સાના બાલાસોરમાં થયેલા ભીષણ ટ્રેન અકસ્માત પછી ફરી એક વાર મુસાફરોની સુરક્ષાનો પ્રશ્ન ઊભો થયો છે. આવી દુર્ઘટના અટકાવવા માટે પશ્ચિમ રેલવેએ મહત્ત્વનું પગલું ભર્યું છે. તે પ્રમાણે ટૂંક સમયમાં ઇલેક્ટ્રિક એન્જિનમાં પરિવર્તન જોવા મળશે. તેના થકી ભવિષ્યમાં માત્ર આવી ઘટનાઓ અને માનવીય ભૂલને કારણે સર્જાતા અકસ્માતો જ નહીં ઘટે પરંતુ આવી દુર્ઘટનાઓની સરળતાથી ભાળ મેળવી શકાશે. પશ્ચિમ રેલવે દ્વારા હવે લાંબા અંતરની ટ્રેનોમાં જોડાનારા ઇલેક્ટ્રિક લોકોમોટિવ એન્જિનમાં કેમેરા લગાવાઈ રહ્યા છે. એન્જિનની બંને બાજુએ 6 કેમેરા લગાવાશે. આ પાવરફૂલ કેમેરા ઓડિયો પણ રેકોર્ડ કરી શકશે.
એન્જિનની બંને બાજુએ લોકોપાઇલટ કેબિનમાં પણ 2-2 કેમેરા લગાવાશે જ્યારે બહારની ગતિવિધિ પર નજર રાખવા માટે 1-1 કેમેરા એન્જિનની બહાર પણ લગાવાશે. પશ્ચિમ રેલવે કુલ 350 ઇલેક્ટ્રિક એન્જિનમાં આ કેમેરા લગાવશે. તેમાંથી 30 એન્જિનમાં કેમેરા લગાવાયા છે. એન્જિન દીઠ કેમેરા લગાડવાનો ખર્ચ રૂ. 1,04,338 છે. આ નાઇટ વિઝનવાળા અને 2 ટીબી (ટેગા બાઇટ)ની સ્ટોરેજ ક્ષમતાવાળા કેમેરામાં 90 દિવસનું સ્ટોરેજ થઈ શકશે. રેલવે અધિકારીઓનું કહેવું છે કે ફ્લાઇટની જેમ એન્જિનમાં ઓડિયો બેઝ્ડ કેમેરા લગાવવાથી દુર્ઘટનાની તપાસનું યોગ્ય વિશ્લેષણ કરી શકાશે.
પશ્ચિમ રેલવેના અધિકારીઓએ જણાવ્યું હતું કે 735 કિમી રેલલાઇન પર કવચ સિસ્ટમ ઇન્સ્ટોલ કરાશે. આ વર્ષે ડિસેમ્બર સુધીમાં સૌથી પહેલાં અમદાવાદ-મુંબઈ 522 કિમી રેલલાઇન પર કવચ સિસ્ટમ લગાવાશે. આ એક સ્વદેશી રીતે તૈયાર કરાયેલી ઑટોમેટિક ટ્રેન પ્રોટેક્શન પ્રણાલી છે. એ લાલ સિગ્નલ પાર કરવા અને અથડામણની ઘટનામાં સુરક્ષા કવચનું કામ કરશે. એક જ પાટા પર આવનારી બે ટ્રેન વચ્ચેની અથડામણ રોકવામાં આ સિસ્ટમ સક્ષમ છે.

Previous Post

અમેરિકામાં વર્જિનિયા કોમનવેલ્થ યુનિવર્સિટી નજીક અંધાધૂંધ ફાયરિંગ

Next Post

સ્થાનિકોની ફરિયાદ બાદ 11 તલાટીનો એક દિવસનો કપાશે પગાર

aaspassdaily

aaspassdaily

Related News

ગુજરાતમાં 5 વર્ષમાં ખાડાના લીધે 400થી વધુના મોત
તાજા સમાચાર

ગુજરાતમાં 5 વર્ષમાં ખાડાના લીધે 400થી વધુના મોત

July 7, 2025
હોંગકોંગના માલવાહક જહાજમાં જોરદાર બ્લાસ્ટ
તાજા સમાચાર

હોંગકોંગના માલવાહક જહાજમાં જોરદાર બ્લાસ્ટ

July 7, 2025
સૌરાષ્ટ્ર-કચ્છના 19 ડેમ 100% છલકાયા
તાજા સમાચાર

સૌરાષ્ટ્ર-કચ્છના 19 ડેમ 100% છલકાયા

July 7, 2025
Next Post
સ્થાનિકોની ફરિયાદ બાદ 11 તલાટીનો એક દિવસનો કપાશે પગાર

સ્થાનિકોની ફરિયાદ બાદ 11 તલાટીનો એક દિવસનો કપાશે પગાર

ફૂડ સેફટી ઈન્ડેક્સમાં ગુજરાત ચાર વર્ષથી અગ્રેસર

ફૂડ સેફટી ઈન્ડેક્સમાં ગુજરાત ચાર વર્ષથી અગ્રેસર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.