એનસીપી ચીફ શરદ પવારને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે પુણેમાંથી એક આઈટી એન્જિનિયરની ધરપકડ કરી છે. આરોપી બર્વે આઈટી એન્જિનિયર છે. આરોપીને કોર્ટમાં રજૂ કરાયો હતો. ત્યારબાદ કોર્ટે આરોપીને 14 જૂન સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો હતો. બર્વેએ કથિત રીતે NCPના વડા શરદ પવાર વિરુદ્ધ ફેસબુક પર ધમકી પોસ્ટ કરી હતી.
ફેસબુક અને ટ્વિટર સહિતના સોશિયલ મીડિયા પર જાનથી મારી નાખવાની ધમકીઓ મળ્યા બાદ પવારની દીકરી સાંસદ સુપ્રિયા સુલેએ મુંબઈ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફેસબુક પોસ્ટમાં લખવામાં આવ્યું હતું કે ટૂંક સમયમાં શરદ પવારની હાલત પણ પણ નરેન્દ્ર દાભોલકર જેવી જ કરાશે. ઉલ્લેખનીય છે કે 20 ઓગસ્ટ 2013ના રોજ રેશનાલિસ્ટ નરેન્દ્ર દાભોલકરની નિર્દયતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી. તેમણે મહારાષ્ટ્ર અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિની સ્થાપના કરી હતી.





