Friday, July 11, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર રાષ્ટ્રીય

અમરનાથ યાત્રામાં વધુ એક મોત: 33 વર્ષીય યુવકનું હોર્ટ એટેકથી મૃત્યુ છેલ્લા 10 દિવસમાં 4 ગુજરાતીઓના મૃત્યુ

aaspassdaily by aaspassdaily
2023-07-17 11:32:03
in રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

અમરનાથ યાત્રા દરમિયાન વધુ એક ગુજરાતી શ્રદ્ધાળુના મૃત્યુના સમાચાર સામે આવી રહ્યા છે. પહેલગાવની હોસ્પિટલમાં વડોદરાના યુવકનું હાર્ટ એટેકથી મૃત્યુ નિપજ્યું છે. હાલ યુવકના મૃતદેહને વડોદરા લાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. મહત્વનું છે કે, અમરનાથની યાત્રા હવે ગુજરાતીઓ માટે જીવલેણ સાબિત થઈ રહી છે. છેલ્લા 10 દિવસમાં ચોથા ગુજરાતી શ્રદ્ધાળુનું યાત્રા દરમિયાન મોત નિપજ્યું છે.
મળતી માહિતી અનુસાર, વડોદરાના ફતેહપુરા ખાતે આવેલી પીતાંબરની પોળમાં રહેતા 33 વર્ષીય ગણેશ કદમ વડોદરાથી 10 મિત્રો સાથે અમરનાથ યાત્રાએ ગયા હતા. તેઓ પહેલગામ ખાતે આવેલી એક હોટલમાં રોકાયા હતા. જ્યાં તેમને બે દિવસ પહેલા ઉલટી થતાં મિત્રો સ્થાનિક હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ ગયા હતા. જ્યાં તેમને બે વખત હાર્ટ એટેક આવ્યા હતા, પરંતુ તેઓ બચી ગયા હતા, પરંતુ આજે આવેલો ત્રીજો હાર્ટ એટેક જીવલેણ સાબિત થયો હતો. તેમનું હોસ્પિયલમાં હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું.
આ સમાચાર મળતાની સાથે પરિવારમાં માતમ છવાયું છે. તો ગણેશ કદમના આકસ્મિત અવસાનથી તેમના પત્નીને અને બાળકો નિરાધાર બન્યા છે. હાલ તેમના મૃતદેહને વડોદરા લાવવા માટે પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે.
ગઈકાલે પણ એક શ્રદ્ધાળુનું મૃત્યુ થયું હતું, મૂળ સુરતના અને છેલ્લા 10 વર્ષથી પરિવાર સાથે અમેરિકા રહેતા ઊર્મિલાબેન મોદીનું જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં માથા પર પથ્થર પડતા મૃત્યુ નિપજ્યું હતું.

10 દિવસમાં આ ગુજરાતી અમરનાથ યાત્રીનું મૃત્યુ
1. ગણેશભાઈ કદમ (ફતેહપુરા, વડોદરા)
2. ઊર્મિલાબેન ગિરિશભાઇ મોદી (કામરેજ, સુરત)
3. શિલ્પાબેન નરેશભાઈ ડાંખરા (સિદસર, ભાવનગર)
4. રાજેન્દ્રભાઇ ભાટીયા (વેમાલી, વડોદરા)

Previous Post

આજથી બેંગલુરુમાં બે દિવસીય એકતા બેઠક: વિપક્ષના 26 પક્ષો વિચાર મંથન કરશે

Next Post

સાયન્સ અને ટેકનોલોજી વિભાગ દ્વારા રાજકોટ જિલ્લો બન્યો ડિજિટલ: જેતપુરના બસસ્ટેન્ડમાં હોટ-સ્પોટ સુવિધાનો સૌથી વધુ ઉપયોગ

aaspassdaily

aaspassdaily

Related News

નબળી કામગીરી કરનારાઓને છોડવામાં નહિ આવે
તાજા સમાચાર

નબળી કામગીરી કરનારાઓને છોડવામાં નહિ આવે

July 11, 2025
આતંકવાદી ઘટનાઓનું પુનરાવર્તન રોકવા આપણે 24 કલાક સતર્ક રહેવું પડશે: CM ઓમર અબ્દુલ્લા
તાજા સમાચાર

આતંકવાદી ઘટનાઓનું પુનરાવર્તન રોકવા આપણે 24 કલાક સતર્ક રહેવું પડશે: CM ઓમર અબ્દુલ્લા

July 11, 2025
છત્તીસગઢમાં ૧૨ નક્સલીઓનું આત્મસમર્પણ
તાજા સમાચાર

છત્તીસગઢમાં ૧૨ નક્સલીઓનું આત્મસમર્પણ

July 10, 2025
Next Post
સાયન્સ અને ટેકનોલોજી વિભાગ દ્વારા રાજકોટ જિલ્લો બન્યો ડિજિટલ: જેતપુરના બસસ્ટેન્ડમાં હોટ-સ્પોટ સુવિધાનો સૌથી વધુ ઉપયોગ

સાયન્સ અને ટેકનોલોજી વિભાગ દ્વારા રાજકોટ જિલ્લો બન્યો ડિજિટલ: જેતપુરના બસસ્ટેન્ડમાં હોટ-સ્પોટ સુવિધાનો સૌથી વધુ ઉપયોગ

વેસ્ટ ઈન્ડિઝ સામેની શ્રેણી 2-0થી જીતવાથી પણ ભારતને નંબર વન રેન્કિંગ ગુમાવવું પડી શકે છે

વેસ્ટ ઈન્ડિઝ સામેની શ્રેણી 2-0થી જીતવાથી પણ ભારતને નંબર વન રેન્કિંગ ગુમાવવું પડી શકે છે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.