વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ગુજરાતના મહેમાન બન્યા છે. બે દિવસ ગુજરાતની મુલાકાતે આવેલ પીએમ મોદીના પ્રવાસનો આજે બીજો દિવસ છે. ગઈકાલે ટર્મિનલ બિલ્ડિંગ ખાતેથી રૂપિયા 1405 કરોડના ખર્ચે નિર્મિત રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદઘાટન સૌરાષ્ટ્રના વિકાસને પણ ઈન્ટરનેશનલ પાંખો આપવાનો પ્રયાસ કરાયો હતો. બાદમાં વડાપ્રધાને આ એરપોર્ટના રન વે, ટર્મિનલ સહિતની કામગીરીનું નિરિક્ષણ પણ કર્યું હતું. જે બાદમાં તેઓ રાજકોટમાં રેસકોર્સ ખાતે જનસભાને સંબોધન કર્યું છે. પ્રવાસના બીજા દિવશે આજે ગાંધીનગરમાં વિવિધ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી સહભાગી થશે.
PM મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. ત્યારે સેમિકોન ઈન્ડિયા 2023નુ ઉદ્ઘાટન કરશે. વધુમાં PM મોદી મહાત્મા મંદિર ખાતે ત્રણ બેઠકો કરશે. જ્યા સબંધિત લોકોને સાંભળ્યા બાદ એક્ઝીબિશન સેન્ટરની મુલાકાત પણ લેવામાં આવે તેવી શકયતા રહેલી છે. વધુમાં બપોરનું ભોજન ગાંધીનગરના સર્કિટ હાઉસમાં લેશે.