સુરેન્દ્રનગરના દરબાર બોર્ડિંગમાં રહેતી 30 વિદ્યાર્થિનીઓ ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે.અચાનક 30 જેટલી વિદ્યાર્થિનીઓને ઝાડા ઉલટી થઈ જતા તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે. દૂધ અને બટેકાના શાકનું ભોજન લીધા બાદ તબિયત લથડી હતી.
રાત્રી ભોજન બાદ અચાનક વિદ્યાર્થીનીઓની તબિયત લથડી ગઈ હતી. ભોજન કર્યા બાદ અચાનક ઝાડા અને ઉલ્ટી થતા તમામને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જોકે કોઈપણ વિદ્યાર્થીનીઓની હાલત ગંભીર ન હોવાના અહેવાલ સામે આવ્યા છે. હાલ તમામ સારવાર હેઠળ છે.
પ્રાથમિક માહિતી અનુસાર સુરેન્દ્રનગરના દરબાર બોર્ડિગમાં રહેતી વિદ્યાર્થીનીઓમાં 30 જેટલી વિદ્યાર્થીનીઓએ પેટમાં દુખાવાની, ઉલટીઓ, ઝાડા થવાની ફરિયાદ કરી હતી, જોકે પરિસ્થિતિની ગંભીરતા જોઈને તમામને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરી હતી. આ ઘટનાની જાણ થતાં જ સમાજના અગ્રણીઓ પણ દોડતા થયા હતા, તો બીજી તરફ હોસ્પિટલમાં એક સાથે આટલી બધી વિદ્યાર્થીઓ દાખલ થતાં હોસ્પિટલમાં પણ ભાગ દોડ મચી ગઈ હતી.