Monday, October 27, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

મણિપુર : ભાજપના પોતાની સરકાર પર જ સવાલ ઉઠાવ્યા

લોકોનો ગુસ્સો શાંત થતો નથી - નેતાઓેએ નડ્ડાને લખ્યો પત્ર

aaspassdaily by aaspassdaily
2023-09-30 10:26:51
in તાજા સમાચાર, રાષ્ટ્રીય, સમાચાર
Share on FacebookShare on Twitter

મણિપુરમાં સ્થિતિ બગડતા સ્થાનિક ભાજપના નેતા પણ પોતાની સરકાર પર સવાલ ઉઠાવવા લાગ્યા છે. મણિપુરમાં ભાજપે આરોપ લગાવ્યો કે અમારી પોતાની સરકાર જ સ્થિતિ પર કાબુ મેળવવામાં અસમર્થ રહી છે. મણિપુર ભાજપ તરફથી રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને પત્ર લખવામાં આવ્યો છે. નડ્ડાને મોકલવામાં આવેલા પત્રમાં પ્રદેશ ભાજપના અધ્યક્ષ એ સારદા દેવી સહિત આઠ પદાધિકારીઓના હસ્તાક્ષર છે.
આ પત્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હસ્તક્ષેપની માંગ કરવામાં આવી છે. મહત્ત્વપૂર્ણ છે કે છેલ્લા કેટલાક દિવસથી ઇમ્ફાલ ઇસ્ટમાં ભીડે મુખ્યમંત્રી એન બીરેન સિંહના ઘરને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો. આ સિવાય ઇમ્ફાલ વેસ્ટમાં એક ભાજપના ધારાસભ્યના ઘર પર હુમલો કરવામાં આવ્યો હતો. આ પત્ર આ ઘટનાઓ પછી સામે આવ્યો છે. પત્રમાં લખ્યુ છે કે લોકોનો ગુસ્સો અને વિરોધ હવે વધી ગયો છે. સ્થિતિ સામે લડવા સરકારની નિષ્ફળતા આ લાંબા સમયથી ચાલતી અશાંતિનો એકમાત્ર દોષ છે.
પત્રમાં લખવામાં આવ્યું કે અમે જાણીયે છીએ કે અમારી સરકાર પણ દિવસ-રાત રોકાયા વગર કામ કરી રહી છે જેથી રાજ્યમાં સ્થિતિ સામાન્ય બની શકે. ભાજપના નેતાઓ અનુસાર, લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જેને કારણે આ સમસ્યા વધી રહી છે. ભાજપના નેતાઓએ નડ્ડાને કલમ 355ને રદ કરવાનો અનુરોધ કર્યો છે. મહત્ત્વપૂર્ણ છે કે કલમ 355 હેઠળ, અશાંતિ વચ્ચે કેન્દ્ર સુરક્ષાના કેટલાક પાસા પર કાર્યવાહી કરે છે. નેતાઓએ વાહન વ્યવહાર સામાન્ય કરવા અને ગડબડ કરનારાઓની ધરપકડ પર ભાર મુક્યો છે.

Previous Post

ICC વર્લ્ડ કપ 2023: ક્યારે, ક્યાં અને કેવી રીતે લાઈવ વર્લ્ડ કપ વોર્મ-અપ મેચો મફતમાં જોઈ શકશો?

Next Post

આદિવાસી મહિલાઓને 31 વર્ષે મળ્યો ન્યાય : 269 સરકારી અધિકારીઓ દોષી જાહેર

aaspassdaily

aaspassdaily

Related News

પંજાબમાં ગરીબ રથ એક્સપ્રેસના કોચમાં આગ
તાજા સમાચાર

પંજાબમાં ગરીબ રથ એક્સપ્રેસના કોચમાં આગ

October 18, 2025
ભારત જાઓ અને ક્વાડ સમિટમાં ભાગ લો ટ્રમ્પને અમેરિકન સાંસદોની વિનંતી
આંતરરાષ્ટ્રીય

ભારત જાઓ અને ક્વાડ સમિટમાં ભાગ લો ટ્રમ્પને અમેરિકન સાંસદોની વિનંતી

October 18, 2025
ભારતીય એરફોર્સના ટ્રેનરો હવેથી બ્રિટિશ પાઈલટને આપશે ટ્રેનિંગ
તાજા સમાચાર

ભારતીય એરફોર્સના ટ્રેનરો હવેથી બ્રિટિશ પાઈલટને આપશે ટ્રેનિંગ

October 18, 2025
Next Post
21 વર્ષ બાદ આજે SIT કોર્ટ આપશે નરોડા કાંડનો ચુકાદો

આદિવાસી મહિલાઓને 31 વર્ષે મળ્યો ન્યાય : 269 સરકારી અધિકારીઓ દોષી જાહેર

ગોળી ધરબી દેવી જોઈતી હતી, પોલીસે ધરપકડ કરીને કેમ લઈ ગઈ?

ગોળી ધરબી દેવી જોઈતી હતી, પોલીસે ધરપકડ કરીને કેમ લઈ ગઈ?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.