ગુજરાતમાં સામાન્ય રીતે સરકારે મોટા અધિકારી -અધિકારીઓની બદલી કરતી હોય છે, પરતું રાજ્ય સરકારે બદલીને લઇને મોટો નિર્ણય લીધો છે. સરકારા સૌપ્રથમ વખત નવા સચિવાલયના વિવિધ વિભાગોમાં ફરજ બજાવતા પટાવાળાઓની મોટાપાયે બદલીઓ કરી છે. વર્ગ -4ના 65 જેટલા પટાવાળાઓની એક સાથે બદલી કરાઇ છે. બદલી કરાયેલા કેટલાક પટાવાળાઓ છ માસની અંદર નિવૃત થવાના છે. ખાનગી ફાઇલોની વિગતો ખાનગી રહે તે માટે સરકારે આ નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકારે ભ્રષ્ટાચારને ડામવા માટે પટાવાળાઓની સામુહિક બદલી કરી છે.